Homeગુર્જર નગરીગીર સોમનાથઃ સુત્રાપાડામાં રામનવમીની પૂર્વ સંધ્યાએ પોસ્ટર ફાડવા મુદ્દે નગરસેવકના બે પુત્રો...

ગીર સોમનાથઃ સુત્રાપાડામાં રામનવમીની પૂર્વ સંધ્યાએ પોસ્ટર ફાડવા મુદ્દે નગરસેવકના બે પુત્રો સહિત ચાર ઝડપાયા, નગરસેવકને સસ્પેન્ડ કરવા માગ

શૈલેષ નાઘેરાઃ ગીર સોમનાથના સુત્રાપાડામાં રામનવમની પૂર્વ સંધ્યાએ પોસ્ટર ફાડવાનો મામલો ફરી ગરમાયો છે. આ મુદ્દે સુત્રાપાડાના ભાજપના કાઉન્સિલરના બે પુત્રો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. બીજી તરફ વિવાદમાં ભાજપના કાઉન્સિલરના પુત્રોનું નામ ખુલતા રાજકારણ પણ ગરમાયું છે.

સુત્રાપાડા વહિપ અને બજરંગદળે ભાજપના કાઉન્સિલરનું રાજીનામુ માગ્યું છે. વિહિપ અને બજરંગ દળે આ મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખ્યો છે અને કાઉન્સિલરને પદ પરથી હટાવવાની માગણી કરી છે. સાથે જ ભાજપમાંથી પણ તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માગણી કરી છે.

shreeji dhosa

અત્યાર સુધીમાં આ મુદ્દે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સિરાઝ યુનુસ મલેક, શાહબુદ્દીન યુનુસ મલેક, અરબાઝખાન રસુલખાન પઠાણ અને જાહીર ઉર્ફે માહિર જહાંગીર મલેક સમેલ છે. આરોપી સિરાઝ યુનુસ મલેક અને શાહબુદ્દીન યુનુસ મલેક સુત્રાપાડા શહેરના વોર્ડ નંબર-2ના નગરસેવક યુનુસ મલેકના પુત્ર છે.

એટલું જ નહીં જો પાલિકાના સભ્ય યુનુસ મલેક વિરુદ્ધ કાર્યવાહી નહી કરવામાં આવે તો બજરંગદળ, વિહિપ અને સુત્રાપાડા તેમજ આજુબાજુના ગામના યુવાનો 13 એપ્રિલથી સુત્રાપાડા નગરપાલિકા ખાતે ભુખ હડતાળ પર ઉતરશે અને રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શીત કરશે.

shreeji dhosa

ઉલ્લેખનીય છે કે, રામનવમીની પૂર્વ સંધ્યાએ હિન્દુ સંગઠનો અને સમાજના લોકોએ રામનવમીની તૈયારી કરી લીધી હતી. જેમાં સુત્રાપાડા શહેરમાં ઠેર ઠેર ધ્વજા તેમજ ભગવાન રામના પોસ્ટર લગાવ્યા હતા. જોકે, આરોપીએ આ પોસ્ટર ફાડતા વિવાદ સર્જાયો હતો અને હિન્દુ સંગઠન તેમજ સમાજમાં આરોપી પ્રત્યે રોષની લાગણી ફેલાઈ હતી. હાલ આ મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે તેમજ આ મુદ્દે વિવાધ વધુ ન વકરે તેમજ તાલુકામાં શાંતિ જળવાય રહે તે માટે કાર્યવાહી કરી છે સાથે જ લોકોને કોઈ ખોટી અફવામાં ન આવવા અપીલ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments