Team Chabuk-Gujarat Desk: પાટીદાર અનામત આંદોલનનો ચહેરો અને હાલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રહેલા હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રમખાણો અને આગજનીની અપીલો પર ચુકાદો ન આવે ત્યાં સુધી હાર્દિક પટેલની સજા પર રોક લગાવી લીધી છે. સાથે એમ પણ કહ્યું છે કે, હાઈકોર્ટે પણ સજા પર રોક લગાવવાની જરૂર હતી. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી હાર્દિક પટેલ માટે ચૂંટણી લડવાનો માર્ગ ખુલ્લો થઈ ગયો છે. હાર્દિક પટેલ આગામી સમયમાં આવનારી કોઈપણ ચૂંટણીમાં ઝંપલાવી શકશે.
હાર્દિક પટેલના વકીલ મનિન્દર સિંહે કહ્યું કે તેને ચૂંટણી લડતા અટકાવવો એ અધિકારોનું હનન છે. હાર્દિક પટેલે 2019માં એકવાર ચૂંટણી લડવાની તક ગુમાવી છે. હાર્દિક પટેલના વકીલે કહ્યું કે, તે કોઇ ગંભીર હત્યારો નથી, પોલીસે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે. તમને જણાવી દઈએ કે, હાર્દિક પટેલને 2019ની લોકસભા ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, મહેસાણાના વિસનગર રમખાણો મામલે કોર્ટે હાર્દિક પટેલને 2 વર્ષની સજા ફટકારી હતી. હાલ હાર્દિક પટેલ જામીન પર બહાર છે, પરંતુ દોષિત હોવાના કારણે તેઓ ચૂંટણી લડી શકે નહીં. અને આ જ કારણ છે કે, હાર્દિક પટેલ તેમની સજા પર સ્ટે લાવવા માંગે છે, જેથી તેઓ ચૂંટણી લડી શકે. નોંધનીય છે કે, આ કેસમાં કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલને બે-બે વર્ષની સજા આપી હતી. જ્યારે 14 આરોપીઓને છોડી દીધા હતા. આ રમખાણો 23 જુલાઈ 2015માં પાટીદાર અનામત આંદોલન વખતે થયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
