Homeગુર્જર નગરીસુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢ્યા બાદ કોરોનાથી મૃત્યુ પામેલાના વારસદારને અરજીના 10 દિવસમાં...

સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢ્યા બાદ કોરોનાથી મૃત્યુ પામેલાના વારસદારને અરજીના 10 દિવસમાં સહાય ચૂકવવા સૂચના

Team Chabuk-Gujarat Desk: કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામેલાઓના વારસદારને સહાયની ચૂકવણી કરવા બાબતે રાજ્ય સરકારની કામગીરી ઝડપથી ચાલી રહી છે. ગુરુવારે મોડી રાત્રે રાજ્ય સરકારે આદેશ જાહેર કરીને કોરોનાથી મૃત્યુ પામેલાના વારસદારને અરજી કર્યાના માત્ર 10 દિવસની અંદર જ સહાયની ચૂકવણી કરી દેવાની સૂચના આપી દેવામાં આવી છે. મહેસૂલ વિભાગે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર સહિત સબંધિત સરકારી વિભાગોને આ આદેશ આપ્યો છે. જે અંતર્ગત SDRFમાંથી સહાયની રકમ ચૂકવવામાં આવશે.

સહાય માટે જાહેર કરવામાં આવેલા નવા ફોર્મમાં અરજદારના નામ, મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર, કોરોના મૃતક સાથેના સંબંધ તથા એકથી વધુ વારસદારના કિસ્સામાં અન્ય વારસદારની સંમતિની એફિડેવિટ તથા બેન્ક ખાતાની વિગતો માગવામાં આવી છે. સરકારે આ આદેશની સાથે એક ફોર્મ પણ જાહેર કર્યું છે. આ ફોર્મમાં માંગવામાં આવેલી વિગતો મેળવીને માત્ર 10 દિવસમાં સહાયની ચૂકવણી કરવા સૂચના અપાઈ છે.

આ સાથે જ ગાંધીનાગરના 61 કોરોના સહાય લાભાર્થીઓની યાદી પણ જાહેર કરાઈ છે. આ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. જેના બાદ ગુજરાત સરકારને આ આદેશ કરવાની ફરજ પડી છે. 

અમદાવાદમાં સિટી સિવિક સેન્ટર પર કોરોના સહાય ફોર્મ જમા કરાવવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ડેથ સર્ટિફિકેટમાં કોરોનાનો ઉલ્લેખ ના હોય તેવા લોકો માટે અલગથી ફોર્મ વિતરણ કરવામા આવે છે. કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીના પરિવારજનો માટે કેન્દ્ર સરકારે સહાય ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદમાં 60 સિવિક સેન્ટરો પરથી ફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં મોતનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી પરંતુ 60 સિવિક સેન્ટરો પર કુલ 15 હજાર ફોર્મ મૂકવામાં આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશનએ 3,357 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા હોવાનો દાવો કર્યો છે. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી મોટી સંખ્યામાં લોકો અરજીઓ જમા કરાવી રહ્યા છે. જેથી આ આંકડો વધવાની શક્યતા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments