Homeગુર્જર નગરીરાજ્ય સરકારની મોટી જાહેરાત, 24700 કાયમી શિક્ષકોની થશે ભરતી

રાજ્ય સરકારની મોટી જાહેરાત, 24700 કાયમી શિક્ષકોની થશે ભરતી

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં કાયમી શિક્ષકની ભરતીને લઈને મોટા સમાચાર આવ્યા છે. આજે રાજ્ય સરકાર કુલ 24700 જગ્યાઓ પર શિક્ષકોની ભરતી (Teachers’ Recruitment) જાહેરાત કરી છે. કેબિનેટ બેઠકમાં ભરતીને લીલી ઝંડી આપવામાં આવી છે. લાંબા સમયથી TET-TAT પાસ ઉમેદવારોની આતુરતાનો અંત આવી ગયો છે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરી છે.

teachers recruitment

અંતે 24,700 કાયમી શિક્ષકની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 7500 શિક્ષક હાયર સેકન્ડરી માટે લેવામાં આવશે. જ્યારે બાકીના 17200 શિક્ષક પ્રાથમિક શિક્ષણ માટે ભરવામાં આવશે. 2011 થી 2023 સુધીમાં લેવાયેલી ટેટની તમામ પરીક્ષા માન્ય ગણાશે. ટાટની પરીક્ષા પાસ કરનાર 17,000 જ્ઞાનસહાયક પણ ભરતીમાં ભાગ લઈ શકશે. રાજ્યમાં કુલ 42759 ખાલી જગ્યામાંથી 24,700 જગ્યા ભરવામાં આવશે. ડિસેમ્બર સુધીમાં ભરતીની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવશે. ભરતીનું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવશે. આગળ જતા વ્યાયામ શિક્ષકની પણ ભરતી થશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments