Homeગુર્જર નગરીરાજ્ય સરકારે ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓ માટે લીધો આ મોટો નિર્ણય

રાજ્ય સરકારે ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓ માટે લીધો આ મોટો નિર્ણય

Team Chabuk-Gujarat Desk: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યની શાળાઓમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં આગામી 5 ફેબ્રુઆરી 2022 સુધી વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફલાઈન એજ્યુકેશન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને વિદ્યાર્થી- બાળકોના વ્યાપક આરોગ્યરક્ષા હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કોર કમિટીના આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું કે, આગામી તારીખ 5 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં ધોરણ 1 થી 9ના વર્ગોમાં માત્ર ઓન લાઇન શિક્ષણ જ ચાલુ રહેશે.

તેમણે કહ્યું કે રાજ્ય સરકારે આ અગાઉ ગત 7મી જાન્યુઆરીએ નિર્ણય કર્યો હતો કે તા. 31 જાન્યુઆરી સુધી ધોરણ 1 થી 9 ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવામાં આવશે. આ નિર્ણયની સમયાવધિ આજે પૂર્ણ થતા કોરોના સંક્રમણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કર્યા બાદ ઓફલાઈન- વર્ગખંડ શિક્ષણ હજી વધુ સમય એટલે કે, તારીખ 5 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.તેમણે  એમ પણ કહ્યું કે  રાજ્ય સરકાર  હવે તારીખ 5 ફેબ્રુઆરી એ સ્થિતિની પુનઃ સમીક્ષા કરીને  શાળાઓમાં ક્લાસ રૂમ ટિચિંગ એટલે કે વર્ગ ખંડ શિક્ષણ અંગે યોગ્ય નિર્ણય કરશે.

બીજી તરફ વાલીઓએ સરકારના નિર્ણયને આવકાર્યો છે. વાલીઓએ કહ્યું કે, હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ઘટ્યા છે પરંતુ હજુ પણ તેઓ બાળકો માટે કોઈ પણ પ્રકારનું જોખમ લેવા ઈચ્છતા નથી. 5 ફેબ્રુઆરી પછી જો કોરોનાના કેસ ઘટશે તો તેઓ બાળકોને સ્કૂલે મોકલશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments