Team Chabuk-Gujarat Desk: રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ચાલતી આ નિર્ણાયક સરકાર દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણ વિભાગ સંલગ્ન અનેક નિર્ણયો લીધા છે ત્યારે આજે વધુ એક વિદ્યાર્થી હિતલક્ષી અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, ધોરણ-૧૦માં ગણિત બેઝિક વિષય રાખનાર વિદ્યાર્થીઓ પણ હવે ધોરણ-૧૧માં વિજ્ઞાન પ્રવાહ બી-ગ્રૂપમાં પ્રવેશ મેળવી શકશે.
જીતુ વાઘાણીએ ઉમેર્યું કે, આજથી ધોરણ-૧૦ ના વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાનું કાર્ય શરૂ થઇ ગયું છે ત્યારે ધોરણ-૧૦ના ગણિત બેઝિકના વિદ્યાર્થીઓ ધોરણ-૧૧માં વિજ્ઞાન પ્રવાહ B ગ્રુપમાં પ્રવેશ મેળવી શકે તે માટેનો જરૂરી નિર્ણય લેવામાં આવ્યો છે. હાલની જોગવાઈ મુજબ જે વિદ્યાર્થીઓએ ધોરણ-૧૦માં ગણિત બેઝિક રાખ્યું હોય તે વિદ્યાર્થીઓ ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી શકતા ન હતા જેમાં સુધારો કરી દેવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્યના વિદ્યાર્થીઓને કારકિર્દીના ઘડતર માટેનો નવો વળાંક મળશે. એટલું જ નહીં, ધોરણ-૧૦ ગણિત બેઝિકમાં પાસ થનાર વિદ્યાર્થી જો ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં A અથવા AB ગ્રૂપમાં પ્રવેશ મેળવવા માંગતો હોય તો જુલાઈ માસની પૂરક પરીક્ષા દરમિયાન ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા પાસ કરી વિદ્યાર્થી ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં A અથવા AB ગ્રૂપમાં પ્રવેશ મેળવી શકશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
