Homeગુર્જર નગરીશું હવે હોળી-ધૂળેટીને કોરોનાનું ગ્રહણ લાગશે ?

શું હવે હોળી-ધૂળેટીને કોરોનાનું ગ્રહણ લાગશે ?

ગોવાબાપાઃ ચાબુક તમામ મહાનગરપાલિકાઓની ચૂંટણી પતી ગઈ, પદાધિકારીઓની નિમણૂક પણ થઈ ગઈ. નેતાઓએ એયને મોજથી જીતની ઉજવણીઓ કરી લીધી. હવે જનતા પર નિયમો ઠોકી બેસાડવાનો સમય આવી ગ્યો હોય એવું લાગી રહ્યું છે. ચાબુક હવે હોળી-ધૂળેટી નજીક આવી રહી છે. કોરોનાના કેસ પણ વધી રહ્યા છે. સરકારને હવે તહેવારો પર તવાઈ બોલાવવાનું ભાન થયું છે. અચાનક સરકારને ખબર પડી કે કોરોનાના કેસ વધી રહ્યા છે. જેથી મહાનગરોમાં જનતાની ધૂળેટી બગાડવાનું સરકારે નક્કી કરી લીધું છે. સરકારે સીધી રીતે કોઈ પાબંદી નથી લાદી પરંતુ વાત એવી જાણવા મળી છે કે સરકારે ધૂળેટીનું આયોજન કરનારા મોટા મોટા ક્લબોવાળા અને પાર્ટી પ્લોટવાળાને બોલાવીને આયોજન ન કરવાનું જણાવી દીધું છે. એટલે હવે જનતાને ના છૂટકે શેરી મહોલ્લામાં રંગે રમવું પડશે.

ચાબુક ભીડ ભેગી ન થાય તે માટે સરકારે પગલાં લેવા જ જોઈએ પરંતુ માત્ર તહેવારો અને જનતાના પ્રસંગો બગાડવાની સરકારની નીતિ છે એ યોગ્ય નથી. સ્ટેડિયમમાં 70 હજાર લોકો ભેગા થઈ શકે, નેતાઓની સભામાં હજારો લોકો એકઠાં થઈ શકે તો તહેવારો ટાણે જ કેમ સરકાર પાબંદીઓ લગાવે છે ? આવા સવાલ જનતાના મનમાં ઉઠી રહ્યા છે.

આ કેન્દ્રીય મંત્રીનું ટ્વિટ જ વાંચી લે ચાબુક એટલે તને ખ્યાલ આવી જશે કે જનતાએ જ બધા નિયમો પાળવાના.

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે કહી રહ્યા છે કે, આખા દેશમાં કોરોના ધીમો પડી રહ્યો છે પરંતુ કોરોનાના 70 ટકા કેસ મહારાષ્ટ્રમાં આવી રહ્યા છે. આમ કહેતા કહેતાં રામદાસ આઠવલે જનતાને નિયમોના પાઠ ભણાવતા કહી રહ્યા છે કે લોકોએ ભીડવાળી જગ્યાએ ન જવું જોઈએ. લોકોને લગ્નો, તહેવારો અને અન્ય કાર્યક્રમો ટાળવા જોઈએ. મંત્રીજીને મારે કહવું છે કે થોડી સલાહ નેતાઓને પણ આપો. તમારી સરકારના જ મંત્રીઓ અને ખુદ પ્રધાનમંત્રી પણ ચૂંટણીવાળા રાજ્યમાં જઈને લાખોની સભાને સંબોધીને આવે છે.

જવાહરભાઈએ કોંગ્રેસની બે વિકેટ ખેરવી

ચાબુક મહાનગરપાલિકામાં પદાધિકારીઓની વરણી બાદ હવે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં વરણીઓ થવાની છે. ત્યારે ભાજપની નજર ન જીતેલી પંચાયતો અને પાલિકા પર છે. જેમાં એક પંચાયત કોંગ્રેસ પાસેથી ઝુંટવી લેવામાં ભાજપ સફળ થયું હોય તેવું દેખાઈ રહ્યું છે. મેંદરડા તાલુકા પંચાયતના ચૂંટાયેલા બે કોંગ્રેસના અને 2 અપક્ષના સભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે. મેંદરડા તાલુકા પંચાયતમાં પરિણામોમાં કોંગ્રેસને 9, ભાજપને 5 અને અપક્ષને 2 બેઠક મળી હતી. કોંગ્રેસની સત્તા નક્કી જ હતી. પરંતું કોંગ્રેસને સુકાન મળે તે પહેલાં જ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાએ ખેલ પાડી દીધો. જવાહરભાઈની હાજરીમાં કોંગ્રેસના 2 અને અપક્ષના  2 ઉમેદવારે ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો છે. જેથી હવે સત્તા પર ભાજપ આવે તેવું ચિત્ર વર્તાઈ રહ્યું છે.

યશવંત સિન્હા ટીએમસીમાં જોડાયા

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલાં ઘણું બધું જોવા મળશે ચાબુક. અનેક નેતાઓ તૃણમુલ કોંગ્રેસ છોડી ભાજપમાં જઈ રહ્યા છે. ત્યારે આજે અટલ સરકારમાં મંત્રી રહી ચુકેલા યશવંત સિન્હા તૃણમુલ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. યશવંત સિન્હાએ તૃણમુલ કોંગ્રેસમાં જોડાઈને કહ્યું કે, હવે ચૂંટણી આયોગ પણ સ્વતંત્ર સંસ્થા રહી નથી. 8 ચરણમાં ચૂંટણીનો નિર્ણય મોદી-શાહના નિયંત્રણમાં લેવાયો છે. યશવતં સિન્હાએ ન્યાયપાલિકા પણ નબળી પડી ગઈ હોવાનું કહ્યું. સાથે જ પશ્ચિમ બંગાળમાં ફરીથી તૃણમુલ કોંગ્રેસની જ સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments