Team Chabuk-Gujarat Desk: બંગાળની ખાડીમાં સક્રિય થયેલું ગુલાબ વાવાઝોડું બંગાળની ખાડીથી આગળ વધ્યું છે. તે મધ્યપ્રદેશના ઉત્તર-પશ્ચિમી વિસ્તાર સુધી પહોંચ્યું છે. આ વાવાઝોડું આગામી 24 કલાક દરમિયાન ગુજરાત સુધી પહોંચવાની શક્યતા છે. જો કે, વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશ કરશે ત્યારે તે નિષ્ક્રીય થઈ ચુક્યું હશે. એટલે કે, ગુજરાતમાંથી પસાર થતી વખતે પવનની ગતિ સામાન્ય જ હશે પરંતુ વાવાઝોડાના કારણે સર્જાનારી સાઇક્લોનિક સરક્યુલેશનની અસરથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. હવામાન વિભાગે પણ આગામી ચારથી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીએ તો, વાવાઝોડાની અસરના કારણે 28 અને 29 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

સાઇક્લોનિક સર્ક્યુલેશનને પગલે આજે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ, મહેસાણામાં અતિભારે વરસાદ માટેનું ઓરેન્જ એલર્ટ, અને કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર- સોમનાથ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં ભારે વરસાદ માટેનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે કે, 28 સપ્ટેમ્બરના રોજ આણંદ, દાહોદ, મહિસાગર, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે 29 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં 40થી 60 કિલોમીટરની ગતિથી પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત 29 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તેમજ દીવમાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હવે માત્ર 10 ટકા વરસાદની ઘટ છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સરેરાશ 85 ટકા વરસાદ વરસ્યો છે જે ગત વર્ષ કરતાં 50 ટકા ઓછો છે. રાજ્યમાં આ વર્ષે અત્યારસુધી થયેલા વરસાદમાં 50 ટકા વરસાદ તો માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ થયો છે.
હાલ આંધ્રપ્રદેશમાં વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. અહીં ક્રિષ્ના અને શ્રીકાકુલ્લમ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
Andhra Pradesh | Several areas of Krishna and Srikakulam district were waterlogged for hours and normal life has been hit by the downpour under the influence of cyclonic storm Gulab on Monday pic.twitter.com/mPUIcuDJeP
— ANI (@ANI) September 27, 2021
ભારે વરસાદના કારણે વિશાખાપટ્ટનમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ પાણી ભરાયું છે. એરપોર્ટ પરિસર સાથે કેમ્પસના રસ્તાઓ પણ પાણી-પાણી થયા છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ તંત્ર સજ્જ છે. આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ, વિજયનગરમ અને શ્રીકાકુલ્લમમાં NDRF અને SDRFની ટીમ તૈનાત છે.
#WATCH | Visakhapatnam International Airport witnesses severe waterlogging following heavy rainfall due to cyclone 'Gulab' in coastal areas of Andhra Pradesh pic.twitter.com/iHAjqKZ57J
— ANI (@ANI) September 27, 2021
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત