Team Chabuk- Gujarat Desk: જામનગરના ભૂમાફિયા જયેશ પટેલના સાગરિતો પર ફરી સકંજો કસાયો છે. ગુસસીટોકના કેસમાં ઝડપાયેલા આરોપીઓ પૈકીના 5 આરોપીઓની જામીન અરજી હાઈકોર્ટે રદ કરી છે. છેલ્લા કેટલાય સમયથી જયેશ પટેલના સાગરિતો જેલની હવા ખાઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, જામનગરના જમીન માફિયા અને ખંડણીખોર જયેશ પટેલ તેમજ તેના સાગરિતો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરાવામાં આવી હતી. ફરિયાદ નોંધાયા બાદ કુલ 12 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જે પૈકી પાંચ આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી. જોકે, હાઇકોર્ટે આરોપીની જામીન અરજી રદ કરી હતી.
કોણે-કોણે અરજી કરી હતી ?
પૂર્વ પોલીસકર્મી વશરામ આહીર, વી.એલ.માનસતા, બિલ્ડર નિલેશ ટોલિયા, જિમ્મી ઉર્ફે જીગર આડતિયા સહિતના પાંચ આરોપીઓ તરફથી હાઈકોર્ટમાં જામીન અરજી કરવામા આવી હતી. ગત વર્ષે ભૂમાફિયા જયેશ પટેલ સહિત 14 આરોપી વિરુદ્ધ ગુજસીટોકની ફરિયાદ નોંધાઈ છે.આરોપ છે કે, જયેશ પટેલ સિન્ડિકેટ બનાવીને લોકોને હેરાન કરતો હતો. વેપારીઓ અને બિલ્ડરોને ધમકાવી તેની પાસેથી રૂપિયા પડાવતો હતો. જેમાં અન્ય આરોપી તેનો સાથ આપતા હતા.
GUJCTOC વિશે જાણો
ગુજસીટોક એટલે કે, ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ. આ કાયદાની વિવિધ કલમોમાં આતંકવાદી કૃત્યો અને સંગઠિત ગુના માટે શિક્ષાની જોગવાઇ કરાઈ છે.
જો આવી કોર્ટો કાયદાકીય કાર્યવાહી કરી શકે તેમ ન હોય તો તે નિયમિત કોર્ટને તબદીલ કરી શકાશે. વિશેષ કોર્ટની રચના ન થાય ત્યાં સુધી આ ગુનાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની સત્તાઓ ડિવીઝન સેશન્સ કોર્ટ પાસે છે.
મિલકતની તબદીલીઓ પણ રદબાતલ કરવાની જોગવાઇ સહિત ફોજદારી કાર્યરીતિના નિયમોમાં પણ ફેરફાર કરી શકાશે. તેમજ ગુનાની ન્યાયિક નોંધ લેવાની અને તપાસ માટેની સરકારી કર્મચારીઓ પોતાની ફરજોના પાલનમાં ચૂક કરે તો શિક્ષાની જોગવાઇ, શુદ્ધ બુદ્ધિથી લીધેલા પગલાઓને રક્ષણની જોગવાઇ પણ કાયદામાં કરાઇ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત