Team Chabuk-Gujarat Desk: કેશોદના કર્મચારી નગરમાં રહેતા આધેડ સાથે છેતરપિંડી કરનારી મહિલા સહિત ત્રણ લોકો ઝડપાયા છે. સાથે જ પોલીસે બે લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આરોપીઓએ આધેડને સસ્તામાં સોનું વેચવાની લાલચ આપી અઢી લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.

આરોપીઓએ કેશોદના કર્મચારી નગરમાં રહેતા એક આધેડને વિશ્વાસમાં લઇ સોનુ સસ્તામાં આપવાનું કહી 2.50 લાખની રકમ પડાવી લીધી હતી. ત્યારબાદ આધેડને પિતળ જેવી ધાતુના દાગીના આપી છેતરપીંડી કરી હતી. આ કેસમાં કેશોદમાં રહેતાં માતા-પુત્ર સહિત કુલ 5 સામે એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
કેશોદ કર્મચારી નગરમાં રહેતાં નરસિંહભાઈ ટપુભાઈ ભાદરકાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, સોનલબેન રાજુભાઈ અને તેમનો પુત્ર વિકાસે હુશેનભાઈ નામના વ્યક્તિ સાથે નરસિંહભાઈની મુલાકાત કરાવી હતી. અને કહ્યું હતું કે હુશેનભાઈના ઓળખીતા રાજુભાઈ રહે.ધોરાજીના ઘરના પાયામાંથી સોનુ નીકળ્યું છે.જે સસ્તામાં વેચવાનું છે.

બાદમાં હુશેને રાજુ અને તેના સાળા સાથે નરસિંહભાઈની મુલાકાત કરાવી હતી. રાજુએ તેમની પાસે રહેલા લીલા કલરની કાપડની પોટલી બતાવી અને તેમાં સોનાના પારાવાળી માળા બતાવી હતી. તેમાંથી 2 સોનાના પારા નરસિંહભાઈને આપી વિશ્વાસમાં લીધા હતા.
ફરિયાદીને વિશ્વાસમાં લીધા બાદ આરોપીઓએ પિતળ જેવી ધાતુનો ખોટો દાગીનો નરસિંહભાઈને અઢી લાખ રૂપિયામાં આપી છેતરપિંડી આચરી હતી. પોલીસે કુલ 5 વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત