Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના મેંદરડાના કનેડીપુર ગામમાં રાત્રીના સમયે બે સિંહે પશુનું મારણ કરતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. બંને સિંહ રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યા હતા અને ગામમાં લટાર મારી એક પશુનું મારણ કર્યા બાદ આરામથી મિજબાની માણી હતી. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે.
ગીર જંગલ પંથકમાં સિંહો ગામમાં આંટાફેરા કરતાં જોવા મળે તે સામાન્ય વાત છે. જો કે, આવી ઘટનાથી ગામલોકોની મુશ્કેલી વધે છે. તાજેતરમાં જ જૂનાગઢ જિલ્લાના મેંદરડા પંથકના એક ગામમાં બે સિંહો આવી ચડ્યા હતા. મળતી મહિતી મુજબ મેંદરડા પંથકના કનેડીપુર ગામમાં ગતરાત્રીના સમયે રહેણાંક વિસ્તારમાં એકી સાથે બે સિંહો આવી ચડ્યા હતા. બાદમાં ગામમાં શિકારની શોધમાં આંટાફેરા કરી એક ચોકમાં પશુ જોવા મળતા તેના પર તરાપ મારી શિકાર કર્યો હતો. બાદમાં ચોકમાં જ બંન્ને સિંહોએ આરામથી પશુની મીજબાની માણી હતી.

આ સમગ્ર ઘટનાના દ્રશ્યો કોઈ વ્યક્તિએ મોબાઈલમાં કેદ કરી લીધા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગામમાં બે સિંહોએ આવી ચડી પશુનું મારણ કર્યાના સમાચારથી ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. ઉલ્લેખનીય છે કે, ઉનાળાની સિઝનમાં જંગલમાં પાણીની અછતના કારણે પાણીની શોધમાં જંલગીપ્રાણી રહેણાંક વિસ્તારમાં આવી ચઢતા હોય છે. ગીર પંથકના મેંદરડા, તાલાલા, કોડીનાર અને ગીરગઢડા પંથકમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત