Homeગુર્જર નગરીકોંગ્રેસ ટિકિટ નહીં આપે તો લલિત વસોયા કરશે આ કામ, ટિકિટ મુદ્દે...

કોંગ્રેસ ટિકિટ નહીં આપે તો લલિત વસોયા કરશે આ કામ, ટિકિટ મુદ્દે કહી દીધી મોટી વાત

Team Chabuk-Gujarat Desk: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. દરેક પક્ષોએ પ્રચાર પ્રસાર વેગવંતો બનાવ્યો છે. આ તમામ વાતો વચ્ચે પક્ષપલટાની વાતો પણ ફરી એકવાર શરૂ થઈ છે. જેને લઈને ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાયાવદરમાં કોંગ્રેસ કાર્યકરોનું સંમેલન યોજાયુ હતું. જેમા કોંગ્રેસના અન્ય ધારાસભ્યો અને જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા પણ હાજર હતા. જેમણે કાર્યકર્તાઓને સંબોધ કર્યું અને ટિકિટ અંગે મોટું નિવેદન આપી દીધુ. લલિત વસોયાએ કહ્યું હતું કે, ઉપલેટા ધોરાજી વિસ્તારમા હાલ નવ લોકો ટિકિટના દાવેદાર છે. જે પૈકી એક ઉમેદવાર લલિત વસોયા પણ છે. પાર્ટી જે કંઈ નિર્ણય કરે તેની સાથે હું સહમત છું. 2017મા પાર્ટીએ મને ટિકિટ આપી હતી. આ વખતે કદાચ કોઈ અન્યને ટિકિટ આપશે તો હું કાર્યકર્તા તરીકે કામ કરીશ.

લલિત વસોયાના આ નિવેદનથી ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. એટલું જ નહીં સૂત્રોએ લલિત વસોયા થોડા જ સમયમાં કોંગ્રેસનો હાથ છોડે તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરી છે. સૂત્રોનું માનીએ તો વસોયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં અન્ય કેટલાક કોંગ્રેસના ધારાસભ્ય સાથે ભાજપાં સામેલ થઈ જશે.

મહત્વનું છે કે, લલિત વસોયાનો તાજેતરમાં જ અનેકવાર ભાજપ પ્રત્યેનો પ્રેમ સામે આવી ચુક્યો છે. અનેક વખત ભાજપના ધારાસભ્ય સાથે જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા છે. બે દિવસ પહેલાં જ તેઓ ખોડલધામ પરિવાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાજપના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા થે જોવા મળ્યા હતા. તો આ પહેલાં પણ તેઓ બેનર લગાવવા બાબતે ચર્ચામાં આવ્યા હતા. બેનરમાં કોંગ્રેસનો લોગો ન હોવાથી અનેક પ્રશ્નો ઉઠ્યા હતા. જો કે, ત્યારે પણ તેઓએ પોતે કોંગ્રેસ નહીં છોડે તેવો દાવો કર્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments