Homeગુર્જર નગરીનવા મંત્રીઓનું ઠેકાણુઃ જાણો ક્યા મંત્રીને ક્યા નંબરનો બંગલો ફાળવાયો

નવા મંત્રીઓનું ઠેકાણુઃ જાણો ક્યા મંત્રીને ક્યા નંબરનો બંગલો ફાળવાયો

Team Chabuk-Gujarat Desk: ગુજરાતના નવા મંત્રીઓએ ચાર્જ સંભાળી લીધો છે અને હવે તેઓને રહેવા માટે ગાંધીનગરમાં બંગલાઓની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કુલ 25 મંત્રીઓને બંગલાની ફાળવણી કરી દેવામાં આવી છે. જેમાં 10 કેબિનેટ કક્ષાના મંત્રી, 5 રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી અને 9 રાજ્ય કક્ષાના મંત્રીઓનો સમાવેશ થાય છે. બંગલાની ફાળવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લકી ગણાતો 26 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો છે.

ક્યા મંત્રીને ક્યા નંબરનો બંગલો ફાળવાયો

મંત્રીનું નામબંગલા નંબર
ભૂપેન્દ્ર પટેલ26
રાજેન્દ્ર ત્રિવેદી06
જીતુ વાઘાણી04
ઋષિકેશ પટેલ21
પુર્ણેશ મોદી11
રાઘવજી પટેલ37
કનુ દેસાઈ22
કિરીટસિંહ રાણા10
નરેશ પટેલ33
પ્રદિપ પરમાર38
અર્જુનસિંહ ચૌહાણ30
હર્ષ સંઘવી19
જગદીશ પંચાલ18
જીતુ ચૌધરી 03
બ્રિજેશ મેરજા05
મનિષા વકીલ16
નિમિષા સુથાર29
મુકેશ પટેલ20
અરવિંદ રૈયાણી23
કુબેર ડિંડોર12
કીર્તિસિંહ વાઘેલા35
ગજેન્દ્રસિંહ પરમાર36
આર.સી.મકવાણા31
વિનોદ મોરડિયા15
દેવા માલમ14

13 નંબરનો બંગલો જ નથી

મહત્વનું છે કે, ગુજરાતના મંત્રીઓને ફાળવવામાં આવતા બંગલાઓમાં 13 નંબરનો બંગલો જ નથી રાખવામાં આવ્યો. 13 નંબરનો આંક અપશુકનિયાળ માનવામાં આવે છે ત્યારે 13 નંબરનો કોઈ બંગલો જ નથી. 12 પછી સીધો 12-એ એવો નંબર આપવામાં આવ્યો છે.

1 નંબરના બંગલોમાં રહે તે પાંચ વર્ષ પૂરા કરી શકતા નથી

એક એવી પણ માન્યતા છે કે, ગુજરાતના મંત્રાલય, મંત્રીઓ, સચિવાલયમાં માન્યતાઓ-ગેરમાન્યતાઓનો પાર નથી. કેટલીક માન્યતાઓ તો પ્રણાલીની માફક પાળવામાં આવે છે. એમાં પણ ખાસ કરીને 1 નંબરનો બંગલો, એટલે કે મુખ્યમંત્રી નિવાસમાં જે CM રહે તેઓ પાંચ વર્ષ પૂરા કરતા નથી. આ બંગલામાં રહેનારા માધવસિંહ સોલંકીથી કેશુભાઈ પટેલ સુધીના મુખ્યમંત્રીઓ બન્યા પછી બંગલા નંબર 1માં રહેવા આવ્યા અને તેમની સરકાર પડી ગઈ હતી.

26 નંબરના બંગલોમાં રહેલા અનેક નેતા મુખ્યમંત્રી બન્યા

ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી પછીના નંબર ટૂ મંત્રી 26 નંબરના બંગલામાં રહે તો તેમનેમુખ્યમંત્રીપદ માટે જેકપોટ લાગી શકે છે. ભૂતકાળમાં માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા અને તેમના પછી બીજા નંબરે અમરસિંહ હતા. અમરસિંહને રહેવા માટે 26 નંબરનો બંગલો ફાળવી દેવાયો. એ પછી તેઓ મુખ્યમંત્રીપદ સુધી પહોંચ્યા હતા. ચીમનભાઈ સરકારમાં છબીલદાસ 26 નંબરના બંગલામાં રહેતા હતા. ચીમનભાઈનું અચાનક અવસાન થતાં મુખ્યપ્રધાનનો તાજ છબીલદાસના શીરે આવી ગયો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments