Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં એક યુવકને તેના સાળાની પત્ની સાથે પ્રેમ થઈ ગયો. ન માત્ર પ્રેમ પરંતુ બંને પતિ-પત્નીને છોડીને એક બીજા સાથે ફરાર પણ થઈ ગયા. 44 દિવસ સુધી ફરાર રહ્યા બાદ શહેરના એક પોલીસ સ્ટેશનમાં હાજર થયા. બીજી તરફ પત્નીએ પોતાના પતિ વિરુદ્ધ ગંભીર આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાઈ છે. એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે, તેના પતિ અને ભાભીને અનૈતિક સંબંધો છે. છેલ્લા ચાર વર્ષથી મહિલાનો પતિ અને ભાભી ભાઈ-બહેનને છેતરી રહ્યા છે. એટલું જ નહીં પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે પતિ મહિલાને ત્રાસ આપતો હોવાનો અને વારંવાર ઘરમાંથી કાઢી મુકતો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
આરોપ છે કે, 44 દિવસ પહેલા મહિલાનો પતિ અને ભાઈની પત્ની ઘરેથી ભાગી ગયા હતાં. બાદમાં માધવપુરા પોલીસ મથકે હાજર થયા હતા. હાજર થતા જ આ મહિલા ત્યાં પહોંચી તો પતિએ છૂટું કરી દેવા ધમકી આપી અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હોવાનો આરોપ છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના માધવપુરાના દુધેશ્વર ખાતે આવેલી એક કોલોનીમાં 30 વર્ષીય મહિલા 9 વર્ષના પુત્ર અને 5 વર્ષની પુત્રી તથા પતિ અને સાસુ સસરા સાથે રહે છે. વર્ષ 2011માં આ મહિલાના લગ્ન થયા હતાં. છેલ્લા ચારેક વર્ષથી મહિલાનો પતિ તેને નાની નાની બાબતોમાં બોલીને ઝઘડા કરી ત્રાસ આપતો હતો. મહિલાને જાણવા મળ્યું કે તેના મોટા ભાઈની પત્ની સાથે પતિને અનૈતિક સંબંધો હતા અને તેની સાથે લગ્ન કરવા તે મહિલાને માર મારી ઝઘડા કરતો હતો.
આરોપ છે કે, 14મી ઓગસ્ટે મહિલાનો પતિ નોકરીએ જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો ત્યારબાદ ઘરે પરત ફર્યો ન હતો. બીજી તરફ મહિલાના ભાઈની પત્ની પણ એજ દિવસે ગુમ હતી. ભાભી ગુમ થવા બાબતે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ હતી. જ્યાં મહિલાએ પણ માધવપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

ત્યારબાદ 44 દિવસ બાદ એટલે કે, ગત 26 સપ્ટેમ્બરે મહિલાનો પતિ અને ભાભી માધવપુરા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. જ્યાં મહિલા પણ આવી હતી. આરોપ છે કે, મહિલાના પોલીસ સ્ટેશનમાં આવતા જ પતિ અને ભાભીએ ધમકી આપીને કહ્યું હતું કે, તું અમારું શું બગાડી લઈશ અમે આ જ ઘરમાં રહીશું તું છૂટાછેડા લઈલે નહીં તો તને જાનથી મારી નાખીશ. હાલ આ મામલે
ઉલ્લેખનીય છે કે, જ્યારે થોડા સમય પહેલાં પતિએ મહિલાને મારમારી ઘરમાંથી કાઢી મુકી હતી ત્યારે પણ મહિલાએ તેના પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જો કે, બાદમાં સમાધાન થયું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત