Team Chabuk-Gujarat Desk: પંચમહાલના કાલોલના બાકરોલમાં એક શખ્સે યુવકના ઘરે જઈને તેના પર એસિડ એટેક કર્યો. આ ઘટનામાં યુવક ગંભીર રીતે દાઝી જતાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે. બીજી તરફ એસિડ એટેક કરનારા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને તેને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આરોપ છે કે, પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના બાકરોલ ગામે પતિ-પત્ની ઘરે બેઠાં હતાં ત્યારે ગામનો જ એક શખ્સ આવ્યો અને યુવકને કહ્યું કે, તારી પત્નીએ મારા પૈસા વાપર્યા છે તે તું પરત કેમ નથી આપતો ? આટલું બોલ્યા બાદ તેણે યુવકના મોં પર એસિડ નાખી દીધુ હતું અને ફરાર થઈ ગયો હતો. બીજી તરફ ગંભીર રીતે દાઝી ગયેલા યુવકને તાત્કાલિક હોસિપટલ લઈ જવાયો હતો.
આ સમગ્ર મામલે બંને પક્ષે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. યુવકે એસિડ અટેક મુદ્દે ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામે પક્ષે પતિ-પત્ની વિરુદ્ધ બાઈકમાં તોડફોડ અને જાનથી મારી નાખવાનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવાઈ છે.

કાલોલ તાલુકાના બાકરોલ ગામના મોટા ફળિયામાં રહેતો એક યુવક પોતાના ઘરે તેની પત્ની સાથે બેઠો હતો. આ દરમિયાન બાકરોલ ગામનો જ ઉપેન્દ્ર ઉર્ફે ફતેસિંહ હરિસિંહ ઠાકોર તેના ઘરે પહોંચી ગયો હતો અને જાતીય અપમાનિત શબ્દો બોલવા લાગ્યો હતો. ત્યારબાદ એસિડ કે એસિડ જેવું પ્રવાહી યુવકના મોઢા પર નાખી દીધુ હતું. જેમાં યુવક જમણી આંખ ઉપર કપાળના ભાગે ગંભીર રીતે દાઝી ગયો હતો. એસિડને કારણે શરીરે બળતરા થતાં યુવકને તાત્કાલિક 108 દ્વારા હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી. હાલ યુવક સારવાર હેઠળ છે.
હાલ પોલીસે બંને પક્ષની સામાસામે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે, યુવકની પત્નીએ શા માટે આરોપીના રૂપિયા વાપર્યા હતા અને કેટલા રૂપિયા વાપર્યા હતા. તપાસમાં વધુ વિગતો સામે આવી શકે છે. બીજી તરફ બાકરોલમાં એસિડ એટેકની ઘટનાથી સમગ્ર ગામમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત