Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં એક ખુશીનો પ્રસંગ પળવારમાં જ માતમમાં ફેરવાઈ ગયો. શહેરનના ઈસનપુર વિસ્તારમાં લગ્નના વરઘોડા સમયે એક બાળકને ઘોડાએ લાત મારી. જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. બાળકના મોતના પગલે ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો.
મળતી માહિતી મુજબ ઈસનપુર વિસ્તારમાં એક પરિવારમાં લગ્નનો પ્રસંગ હોવાથી વરઘોડાનું આયોજન કરાયું હતું. વરઘોડા દરમિયાન ડીજેના તાલે પરિવારજનો ઝૂમી રહ્યા હતા. જ્યારે વરરાજાના પરિવારજનો તેના પર રૂપિયા વરસાવી રહ્યા હતા. આ દરમિયાન આસપાસમાં રહેતા બાળકો દોડી આવ્યા હતા અને રૂપિયા વીણવા લાગ્યા હતા.
આ સમયે એક બાળક રૂપિયા લેવા ઘોડા નજીક પહોંચ્યો હતો. ત્યારે જ ઘોડાએ લાત મારતા માસૂમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. દુર્ઘટનાના પગલે બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો જો કે, ત્યા સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું. માથામાં ગંભીર ઈજાઓના કારણે માસૂમના શ્વાસ રોકાઈ ગયા હતા.
આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, વરઘોડામાં વરરાજાના સ્નેહીજનો નાચી રહ્યા છે. વરરાજાના મોઢા પર પણ સ્મીત જોવા મળી રહ્યું છે. જે ઘોડા પર બેઠો છે અને ઘોડો નાચી રહ્યો છે. સૌ કોઈનું ધ્યાન વરરાજા અને ઘોડા પર છે. આ દરમિયાન વરરાજાના કેટલાક સંંબંધીઓ તેના પર રૂપિયા વરસાવે છે અને ડીજેના તાલે ઝુમે છે. ત્યારે જ રૂપિયા ઉડતા જોઈ બાળકો રૂપિયા લેવા દોટ મુકે છે. વીડિયોમાં કુલ ત્રણથી ચાર બાળકો જોવા મળી રહ્યા છે. જેમાંથી એક બાળકને ઘોડો લાત મારે છે. બાળકને ઘોડાની લાત એટલી જોરદાર વાગે છે કે તે ઉછળીને ત્યાં જ ઢળી પડે છે. દુર્ઘટનાના પગલે ડીજે બંધ કરાવી દેવાય છે અને થોડીવાર માટે દોડધામ મચી જાય છે. ત્યારબાદ બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાય છે. જો કે, હોસ્પિટલમાં તબીબો તેેને મૃત જાહેર કરે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
