Team Chabuk-Gujarat Desk: દેવભૂમિ દ્વારકાના મંદિરના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે રાત્રિના સમયે 25 ગાય માટે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા. પશુપાલક 450 કિલોમીટરની પદયાત્રા કરી કચ્છના રાપર પાસેના નાના રણમાં આવેલા મેડક બેટથી 25 ગાય સાથે દ્વારકા પહોંચ્યા હતા. જેને લઈ ખાસ પરવાનગી મેળવી. મહત્વનું છે કે, પશુપાલકે લમ્પી વાયરસના વધી રહેલા કેસના કારણે થોડા મહિના અગાઉ ભગવાન દ્વારકાધીશની માનતા માની હતી. કે, જો તેમની 25 ગાયમાંથી કોઈ પણ ગાય લમ્પી વાયરસનો શિકાર ન બને તો તેઓ ગાય સાથે જગતમંદિરે દર્શને આવશે. અને થયું પણ આવું જ. તેમની એક પણ ગાયને લમ્પી વાયરસનો ચેપ ન લાગ્યો. આખરે માનતા પુરી કરવા તેઓ ગાય સાથે પગપાળા મંદિરે પહોંચી ગયા.
આખા દેશમાં સૌપ્રથમ વખત કચ્છના લખપતથી લમ્પી વાયરસની શરૂઆત થઈ હતી અને પશુપાલકો ભયથી ફફડી ઊઠ્યા હતા એ સમયમાં કચ્છના રાપર તાલુકાના મેડક બેટના મહાદેવભાઇ દેસાઈ નામના એક માલધારીએ પોતાના પશુધનને આ ઘાતક વાયરસથી બચાવી લેવા માટે દ્વારકાધીશની માનતા માની હતી.

કચ્છના આ પશુપાલક પાસે એ સમયે 25 ગાયો હતી અને આ ગાયોમાંથી કોઈને પણ લમ્પીની અસર થઈ નહોતી. આથી, કાળિયા ઠાકરની મહેરબાનીથી જ આવું થયું હોવાનું સમજીને પોતાના ગૌ-ધન સાથે તેઓ પગપાળા દ્વારકા આવવા નીકળી પડ્યા હતા. કચ્છથી દ્વારકા સુધી 450 કિલોમીટરનું પગપાળા અંતર કાપીને તેઓ આવી પહોંચ્યા. ત્યારે સવાલ એ ઉઠ્યો કે, દિવસે તો મંદિરમાં અન્ય શ્રદ્ધાળુઓ દર્શન કરતા હોય છે ત્યારે આ ગાયોને મંદિરમાં કેવી રીતે લઈ જવી ?
ત્યારબાદ વહીવટી તંત્રની ખાસ મંજૂરીથી ગાયોને કાળીયા ઠાકરના દર્શન કરાવવા માટે રાત્રે જગત મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા. પોતાના પાંચ ગૌસેવકો અને 25 ગાયોની સાથે દ્વારકા પહોંચેલા મહાદેવભાઇએ જગત મંદિરની પરિક્રમા કરી માનતા પૂર્ણ કરી હતી.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ