Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં 2-3 દિવસથી વિવિધ વિસ્તારોમાં વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાકને નુકસાન થયું છે. તલ, મગ, મકાઈ, મગફળી, બાજરી, કપાસ સહિતના ખરીફ પાકોને નુકસાન થયું છે.માત્ર તૈયાર થવાને આરે આવેલા પાકો જ નહી નવરાત્રીમાં વાઢીને ખળામાં પાથરેલ પાકો પણ પલળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
અમરેલીના સાવરકુંડલામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. શહેરમાં સવારથી અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદ વરસતા ખેડૂતોને કપાસ અને મગફળી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે. કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન સહેવાનો વારો આવ્યો છે. વરસાદ પડતા તૈયાર થયેલા પાકોમાં જીવાત પડી, ખેડૂતોની સરકાર પાસે મદદની માગ કરી છે.
છુટોછવાયો વરસાદ અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસ્યો છે. અમરેલી શહેરમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો છે. વરસાદને લઈને ખેડૂતો ચિંતિત છે. ગીર સોમનાથ જિલ્લામાં વધુ પડતા વરસાદને કારણે ઘણા પાક નિષ્ફળ ગયા છે. જેને લઈને ખેડૂતોને મોટુ નુકશાન ગયું છે. મગફળીમાં ખૂબ જ નુકશાન થયું છે. પાથરા પર કમોસમી વરસાદ પડી રહ્યો હોવાથી ખેડૂતો ચિંતામાં છે.
ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર જેવા જિલ્લાઓમાં ખળામાં સૂકવવા મુકેલા પાકને બચાવવા ખેડૂતોને તાડપતરીઓ શોધવામાટે દોડધામ કરવી પડી. સૌરાષ્ટ્રમાં પણ મગફળીનો પાક પલળતા તેની ગુણવત્તા અને જીવાતનો ભય ઉભો થયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત