Team Chabuk-National Desk: કોરોના મહામારીને લઈને મંગળવારે રાહતના સમાચાર સામે આવ્યા છે. આશરે 201 દિવસ બાદ દેશમાં પ્રથમ વખત કોરોનાના કેસની સંખ્યા વીસ હજારની નીચે પહોંચી ગઈ છે. સાથે જ કોરોનાથી થનારા મૃત્યુની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,795 નવા કેસ સામે આવ્યા છે અને 179 લોકોના મોત થયા છે. આ સમયે 26,030 લોકો સ્વસ્થ પણ થયા છે. ભારતમાં હાલ કોરોનાના 2,92,206 એક્ટીવ દર્દીઓ છે. જે કુલ કેસના 0.87 ટકા છે. આ આંકડો પણ 192 દિવસ બાદ નીચલી સપાટી પર પહોંચ્યો છે.
સોમવારે 26,041 કેસ આવ્યા
સોમવારે છેલ્લા 24 કલાકમાં 26,041 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે 276 સંક્રમિતો મોતને ભેટ્યા હતા. બીજી બાજુ 29,621 દર્દીઓ આ બીમારીને પરાજય આપી સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. રવિવારના રોજ 24 કલાકમાં 28,326 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે 260 લોકોના મોત થયા હતા. તેની સામે 26,032 સંક્રમિત દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા હતા.
કેરળને રાહત
કેરળને કોરોના સંક્રમણમાંથી રાહત મળી ગઈ છે. મંગળવારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 11,699 કેસ નોંધાયા હતા. આ ખતરનાક બીમારીથી 58 લોકોના જીવ હોમાયા છે. કોરોના સંક્રમણમાં કેરળ સૌથી વધારે પ્રભાવિત રાજ્યમાંથી એક રહ્યું છે. દેશભરમાં નોંધાયેલા કુલ કેસના 60 ટકા તો માત્ર કેરળમાંથી જ સામે આવી રહ્યા છે.
કોરોના | આંકડા |
છેલ્લા 24 કલાકમાં આવેલા નવા કેસ | 18,795 |
છેલ્લા 24 કલાકમાં કેટલા લોકો સ્વસ્થ થયા | 26,030 |
છેલ્લા 24 કલાકમાં કેટલી વ્યક્તિનાં મોત | 179 |
દેશમાં કુલ કેસ | 3,36,97,581 |
દેશમાં કુલ રિકવરી | 3,29,58,002 |
દેશમાં કુલ સક્રિય કેસ | 2,92,206 |
દેશમાં કુલ મૃત્યુ | 4,47,373 |
વેક્સિનેશનની પ્રક્રિયા 87 કરોડને પાર
ભારતમાં કોરોનાની વિરૂદ્ધ વેક્સિનેશન અભિયાન સતત ચાલી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર અત્યાર સુધી દેશમાં કુલ વેક્સિનનો આંકડો 87,07,08,636 પાર થઈ ગયો છે. સામે 24 કલાકમાં વેક્સિનની 1,02,22,525 ડોઝ લગાવાવમાં આવ્યા છે.
તાજેતાજો ઘાણવો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર
- રાજકોટની ગોવિંદ પાર્ક સોસાયટી પાસે સિટી બસનું સ્ટોપ આપવા માગ
- જાણીતા રેપર રફ્તારે કર્યા બીજા લગ્ન, જાણો કોણ છે રફ્તારની દુલ્હન ?
- પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગ થતાં 10 લોકોના મોતની આશંકા, યોગી સરકાર એક્શનમાં