Team Chabuk-Gujarat Desk: રાજકોટની આંબેડકર નગર વિસ્તારની શેરી નંબર-13માં રહેતા મનોજભાઈ ગોહેલનો પુત્ર ભાવિન કોઈને કહ્યા વગર ઘરેથી ચાલ્યો જતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મનોજભાઈ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં એક પુત્રી અને એક પુત્ર છે.
તારીખ પાંચના રોજ વહેલી સવારે તેમનો પુત્ર કોઈને પણ ક્યાં જાય છે તેની વિગત જણાવ્યા વિના ચાલ્યો ગયો હતો. પરિવારના લોકો જ્યારે સવારના સાત વાગ્યે ઉઠ્યા ત્યારે તેમનો પુત્ર ભાવિન ક્યાંય ન દેખાતા હાંફળા ફાંફળા થઈ ગયા હતા અને તેને શોધવા માટે કવાયત આદરી હતી. ખૂબ શોધવા છતાં તેમના પુત્રનો પત્તો લાગ્યો નહોતો. આ અંગેની તેમણે આસપાસના વિસ્તારમાં પણ તપાસ કરી હતી.
પુત્ર ક્યાંય ન મળતા પરિવારના લોકોને લાગ્યું હતું, કે તે નીકટના પરિવારજનોના ઘરે ચાલ્યો ગયો હશે. આખરે પરિવારના લોકોએ પોતાના સ્વજનો પાસે જઈને પણ પૂછતાછ કરી હતી, જોકે ત્યાંથી પણ તેની કોઈ જાણકારી હાથ લાગી નહોતી. આખરે પિતા મનોજભાઈએ પુત્ર ભાવિન અંગે માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. લેખિત ફરિયાદમાં એમ પણ લખેલું છે કે ભાવિન કબાટમાંથી પાંત્રીસ હજારની રોકડ રકમ પણ લઈ ગયેલ છે. હાલ પોલીસે પરિવારની ફરિયાદના આધારે ભાવિનને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત