Homeગુર્જર નગરીરાજકોટ: પરિવારના 15 સભ્યોએ કોરોનાને હરાવ્યો, પરિવારમાં છે ડાયાબિટિસ, અસ્થમા અને કેન્સરના...

રાજકોટ: પરિવારના 15 સભ્યોએ કોરોનાને હરાવ્યો, પરિવારમાં છે ડાયાબિટિસ, અસ્થમા અને કેન્સરના દર્દી

Team Chabuk-Gujarat Desk: રાજકોટના એક 15 સભ્યોના કોરોનાગ્રસ્ત પરિવારે કોરોના સામે જંગ જીતી સાબિત કરી બતાવ્યું કે, મજબૂત મનોબળ હોય તો બધુ જ શક્ય છે. રાજકોટમાં તાજેતરમાં જ જ્વેલર્સના વ્યવસાય સાથે સંકલાયેલા પ્રવિણ વૈદ્યનો પરિવાર કોરોનાગ્રસ્ત થયો હતો. પરિવારના એક પછી એક એમ 15 સભ્યો કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા જેમાં એક વર્ષથી લઈને 68 વર્ષની ઉંમરના લોકો સામેલ હતા. એટલું જ નહીં પરિવારમાં ચાર સભ્યો ડાયાબિટિસ, કેન્સર અને અસ્થમાથી પીડિત હતા છતાં મક્કમ મનોબળ રાખીને પરિવાર કોરોના સામે જંગ લડ્યો અને જીતી પણ ગયો.

માનસિક રીતે મજબૂત રહી લડવાની જરૂર

વૈદ્ય પરિવારનું કહેવું છે કે, તેમણે એકબીજાના સહકાર અને હિંમતથી કોરોનાને હરાવી દીધો. કોરોનાકાળમાં આ પરિવાર એવા દર્દીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યો છે જેઓ પોઝિટિવ શબ્દ સાંભળીને જ હિંમત હારી જતાં હોય છે. આવા દર્દીઓએ પણ આ પરિવાર પાસેથી શીખ લેવાની જરૂર છે કે, કોરોના સામે માનસિક રીતે મજબૂત રહીને લડવાની જરૂર છે.

ભાડે રાખવું પડ્યું કોવિડ કેર સેન્ટર

પરિવારે કોરોના સામે લડવા માટે 3 BHKનું કોવિડ કેર સેન્ટર ભાડે લીધુ હતું. પરિવારના સભ્યોએ કહ્યું કે, કોરોનાથી ગભરાવાની જરૂર નથી. પ્રોપર ગાઈડલાઈન અને ડોક્ટરની સલાહ મુજબ સારવાર કરો તો તમે કોરોનાને હરાવી શકો છો.

કોરોના શારીરિક, માનસિક, આર્થિક રીતે તોડી નાખે છે

ઘરના સભ્ય અમૃતાબેન વૈદ્યએ જણાવ્યું હતું કે, પહેલા તો કોરોના એવી મહામારી છે કે, તમને શારીરિક, માનસિક અને આર્થિક રીતે તોડી નાખે છે. પરંતુ હા આ પરિસ્થિતિમાં તમારે ગભરાવાની બિલકૂલ જરૂર નથી. અમે પહેલા તો ખૂબ જ ગભરાયા. બાદમાં પોઝિટિવ રહેવાનું ચાલુ કર્યુ.

પરિવાર બન્યો પ્રેરણાસ્ત્રોત

હાલ રાજ્યમાં કોરોના વાયરસ માથું ઉંચકી રહ્યો છે. ગામડાઓમાં સ્થિતિ ખરાબ છે. જ્યાં જુઓ ત્યાં હોસ્પિટલમાં જગ્યા નથી, ઓક્સિજનની અછત છે તેમજ કોરોનાથી થતાં મૃત્યુના અહેવાલો જોવા મળી રહ્યા છે. એવામાં રાજકોટના વૈદ્ય પરિવાર લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત બની ગયો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments