Team Chabuk-Gujarat Desk: સાબરકાંઠાના ઈડર-વિજયનગર પોળ જવાના હાઈવે પર રીક્ષા અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો. જેમાં બે બાળકો સહિત ત્રણ લોકોના મોત થયા છે અને સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે.

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કડિયાદરા નજીક ઈકો કાર અને રીક્ષા સામસામે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં રીક્ષાચાલક સહિત રીક્ષામાં સવાર પરિવારના બે માસૂમ બાળકોના ઘટનાસ્થળે મોત થયા હતા અને અન્ય સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમાં બે લોકોની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્તોને તત્કાલિક સારવાર માટે ઈડરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
મળતી માહિતી અનુસાર એક પરિવાર પોલો ફોરેસ્ટ પરથી ફરીને ઘરે પરત ફરી રહ્યો હતો આ દરમિયાન ઈડર તાલુકાના કડિયાદરા અને ચોરવાડ વચ્ચે તેમની રિક્ષાને અકસ્માત નડ્યો હતો. અહીં પૂરપાટ ઝડપે આવતી ઈકો કાર તેમની રીક્ષા સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતના પગલે અફરા તફરી મચી ગઈ હતી. બીજી તરફ બે માસૂમ બાળકોને ગંભીર ઈજા થતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ થયા હતા. આ ઉપરાંત અન્ય એક વ્યક્તિનું પણ મૃત્યુ નિપજ્યું હતું.
અકસ્માત થયા બાદ આસપાસમાં હાજર લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા તેમજ તાત્કાલિક 108ને પણ જાણ કરી દીધી હતી. બનાવની જાણ થતાં જ 108ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંગી ગઈ હતી અને ઈજાગ્રસ્તોની પ્રાથમિક સારવાર શરૂ કરી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા.મૃતક અને ઈર્જાગ્રસ્તો હિંમતનગરના આકોદરા અને પ્રાંતિજના ઓરણ ગામના છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાં નરેન્દ્ર સિંહ બાબુભાઈ મકવાણા, વંશ કમલેશભાઈ પરમાર, હેતાર્થ નરેન્દ્ર સિંહ મકવાણા હોવાનું સામે આવ્યું છે.

અકસ્માતના પગલે થોડીવાર માટે ટ્રાફિકજામ થઈ ગયો હતો. આ ઉપરાંત ઈકો કાર અને રિક્ષાનો પણ કચ્ચરઘાણ વળી ગયો છે. રિક્ષાની હાલત જોઈને જ અકસ્માતની ગંભીરતા સમજી શકાય છે. તસવીરમાં જોઈ શકાય છે કે, રીક્ષાનો એક ભાગ જ તૂટી ગયો છે. ફરવા ગયેલો પરિવાર મોજ મસ્તીથી ઘરે પરત ફરી રહ્યો હતો પરંતુ અકસ્માતના કારણે તેમની ખુશી દુઃખમાં પરિવર્તિત થઈ ગઈ હતી. પરિવારના બાળકોના મૃત્યુના પગલે સમગ્ર પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.કોરોનાકાળમાં લોકડાઉન સમયે અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ લોકડાઉનમાં છૂટછાટ બાદ ફરી રોડ અકસ્માત વધ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત