Team Chabuk-Gujarat Desk: ગાંધીધામની એક શાળામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક ખાનગી શાળામાં નાના બાળકોને ગાયનું માંસ ખાઈ શકાય તેવું શીખવવામાં આવી રહ્યું હોવાનો દાવો છે. મામલો સામે આવ્યા બાદ બાળકોના વાલીઓ અને હિંદુ સંગઠનોએ વિરોધ કર્યો હતો અને શાળા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમજ મામલો વણસતો જોઈને શાળાએ માફી માંગી છે.
ગાંધીધામની ખાનગી શાળામાં બાળકોને પાઠ ભણાવવામાં આવતા માસુમ વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષ ફેલાયો છે. વાલીઓએ આરોપ લગાવ્યો છે કે શાળામાં બાળકોને અંગ્રેજીનો પાઠ ભણાવવામાં આવી રહ્યો હતો, જેમાં લખ્યું છે કે ‘ગાય કાળી અને સફેદ હોય છે.’ તે ઘાસ ખાય છે અને અમે તેનું દૂધ પીએ છીએ અને અમે તેનું માંસ ખાઈ શકીએ છીએ.
મામલો વધતો જોઈને સ્કૂલે એક નિવેદન બહાર પાડ્યું છે. શાળાએ પોતાનું નિવેદન બહાર પાડીને આ સમગ્ર મામલાથી અંતર રાખ્યું છે અને કહ્યું છે કે સામગ્રી Pinterest પરથી લેવામાં આવી છે. અમારો હેતુ સનાતન ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. અમારો હેતુ બાળકોને કોઈપણ પ્રકારનું માંસ ન ખાવાનું શીખવવાનો હતો.

તાજેતાજો ઘાણવો
- પુલવામા હુમલાના 6 વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી છે
- સોનાના ભાવમાં ક્યારે લાગશે બ્રેક ? આજે ભાવમાં ફરી વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર