Team Chabuk-Gujarat Desk: હજુ પરમ દહાડે સરકારે વિધાનસભામાં 1777 લોકોને રોજગારી આપી હોવાની વાત ઉચ્ચારી હતી. ઉપરથી પ્રાઈવેટ સેક્ટરમાં મોટી સંખ્યામાં નોકરીઓ ઊભી કર્યાની વાત પણ કહી હતી. જોકે હવે એક નવો મુદ્દો સામે આવ્યો છે. અને એ છે તલાટી કમ મંત્રીનો. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી તલાટી કમ મંત્રીઓની ભરતી નથી થઈ. ઉપરથી જે ભરતીઓ થઈ છે તેમાં પણ કંઈક ને કંઈક ભવાડા થયા છે. કાં તો પેપર ફૂટી જાય છે અથવા તો વિરોધ પક્ષ કોંગ્રેસ ચોરી કરનારના સીસીટીવી ફૂટેજ લઈને મીડિયા સામે આવી જાય છે. આ કારણે ગુજરાતમાં ભરતીની પારદર્શકતા જાણે સાતમાં પાતાળમાં ઉતરી ગઈ હોય એવું વિદ્યાર્થીઓને લાગી રહ્યું છે. આ વચ્ચે તલાટી કમ મંત્રીની ખાલી જગ્યાઓમાં ભરતીનો મુદ્દો ફરી સપાટી પર આવ્યો છે.
ગુજરાતમાં તલાટી કમ મંત્રીની કુલ 2634 જગ્યાઓ ખાલી છે. આટલી જગ્યાઓ ખાલી હોવાના કારણે જ જનતાને પણ વારંવાર ધક્કા ખાવા પડે છે અને કામ પૂરું થતું નથી. જ્યાં જે વ્યક્તિને કામ કરવાનું છે તેની નિમણુંક પણ થઈ નથી. સરકાર આ માટે શું કરી રહી છે ? તેવા સવાલના જવાબમાં પંચાયત મંત્રી દ્વારા વિધાનસભામાં જણાવવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતભરમાં તલાટી કમ મંત્રની ખાલી પડેલી જગ્યાઓનાં સાચા આંકડાઓ સામે આવી ગયા હતાં. આ આંકડાઓમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ 160 જગ્યાઓ ખાલી છે. સૌ પ્રથમ જિલ્લાવાર આંકડાઓ પર નજર કરી લઈએ.
| જિલ્લો | જગ્યા |
| ભાવનગર | 160 |
| અમરેલી | 151 |
| અમદાવાદ | 122 |
| બનાસકાંઠા | 100 |
| ભરુચ | 108 |
| જામનગર | 117 |
| જૂનાગઢ | 143 |
| કચ્છ | 116 |
| મહેસાણા | 118 |
| રાજકોટ | 137 |
| સુરેન્દ્રનગર | 119 |
| વડોદરા | 74 |
| વલસાડ | 63 |
| સુરત | 94 |
| પાટણ | 86 |
| પંચમહાલ | 82 |
| ખેડા | 92 |
| આણંદ | 69 |
| છોટા ઉદેપુર | 62 |
| દાહોદ | 61 |
| દેવભૂમિ દ્રારકા | 72 |
| ગીર સોમનાથ | 78 |
| પોરબંદર | 41 |
| ગાંધીનગર | 45 |
નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલે 20 લાખ ભરતી કરવાની વાત ઊચ્ચારી છે! એવામાં વિધાનસભામાં તલાટી કમ મંત્રીઓની ભરતીનો સામે આવેલા આંકડા બાદ તેની ભરતી પ્રક્રિયા થાય છે કે નહીં તે જોવાનું રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત