Homeગુર્જર નગરીગીર સોમનાથઃ ઊનાના જાખરવાડાના બે સંતાનના બાપ પર દુષ્કર્મનો આરોપ, દોઢ વર્ષમાં...

ગીર સોમનાથઃ ઊનાના જાખરવાડાના બે સંતાનના બાપ પર દુષ્કર્મનો આરોપ, દોઢ વર્ષમાં યુવતી પર અનેકવાર દુષ્કર્મ આચર્યું

શૈલેષ નાઘેરા: ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના નવાબંદર ગામની મહિલાએ જાખરવાડા ગામાં રહેતા અને બે સંતાનોના પિતા પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. મહિલાનો આરોપ છે કે, આરોપીએ તેને લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચર્યું છે.

યુવતીએ આરોપ લગાવયો છે કે, યુવકે છેલ્લા દોઢેક વર્ષ દરમિયાન યુવતીને દીવ, દેલવાડા ગેસ્ટ હાઉસ, અમદાવાદ, માઉટ આબુ સહિતના જુદા-જુદા સ્થળે લઈ જઈ તેની સાથે શરીર સંબંધ બાંધ્યા છે. જ્યારે મહિલાને જાણ થઈ કે યુવક પરણિત છે અને તેની સાથે છેતરપિંડી કરી રહ્યો છે ત્યારે યુવતીએ યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, નવાબંદર ગામની અને હાલ ભીંગરણ રહેતી 20 વર્ષીય યુવતી દોઢેક વર્ષ પહેલાં મજૂરી કામે જતી હતી ત્યારે રીક્ષામાં તેને ઝાખરવાડાનો યુવક મળ્યો હતો. ઝાખરવાડાનો યુવક પણ રીક્ષામાં નવાબંદર સુધી આવતો હોવાથી બંને વચ્ચે પરિચય થયો હતો ને પછી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

whatsapp group join link

ત્યારબાદ યુવક અને યુવતી રોજ ફોનમાં વાતચીત કરવા લાગ્યા હતા. દરમિયાનમાં યુવક યુવતીને દીવ લઈ ગયો હતો અને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. આ બાદ બંને વચ્ચે મળવાનું ચાલુ રહ્યું હતું. આરોપ છે કે, આ સમયગાળા દરમિયાન યુવક યુવતીને દેલવાડાના શીવમ ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો અને લગ્ન કરવાની લાલચ આપી ફરી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ રીતે વારંવાર શરીર સંબંદ બાંધ્યા પછી  યુવકે યુવતીને લગ્ન કરવાના બહાને ઊના બસ સ્ટેશને બોલાવી હતી. યુવતી ઉના પહોંચતાં યુવક તેને અમદાવાદ, માઉન્ટ આબુ વગેરે સ્થળે લઈ ગયો હતો. હાલ આ મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments