Homeગામનાં ચોરેમંદિર માટે જમીન ન આપી તો પરિવારનો કર્યો બહિષ્કાર, હવે સમાજમાં પાછું...

મંદિર માટે જમીન ન આપી તો પરિવારનો કર્યો બહિષ્કાર, હવે સમાજમાં પાછું આવવું હોય તો ગૌમુત્ર પીવાનું

Team Chabuk-National Desk: મધ્યપ્રદેશના ગુનામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. એક પરિવારે મંદિર માટે જમીન ન આપી તો પંચાયતે તેમનો બહિષ્કાર કરવાનો નિર્ણય સંભળાવ્યો. બહિષ્કાર એવો છે કે પરિવારના સારા નરસા પ્રસંગથી લઈને કોઈ શોક પ્રસંગમાં પણ ગામનું કોઈ વ્યક્તિ નહીં જાય. સમાજના અન્ય લોકોને પણ આ પરિવાર સાથે સંબંધ ન રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

પંચાયતના ફરમાન અનુસાર પરિવારે જો સમાજમાં પરત ફરવું હોય તો માથા પર ખાસડું રાખવું પડશે. પાઘડી પગમાં રાખવી પડશે. ગૌમૂત્ર પીવું પડશે. પુરુષોએ દાઢી કપાવવી પડશે. શહેરના શિવાજીનગરમાં રહેનારા પીડિત પરિવારે મંગળવારના રોજ જનસુનાવણી દરમ્યાન કલેક્ટરને ફરિયાદ કરી ત્યારે સમાજની આ આખી તિલિસ્મી ઘટના સામે આવી હતી.

Bahiskar

ફરિયાદકર્તા હીરાલાલ ઘોષીનો આરોપ છે કે તેમના પરિવારે આશરે 4000 વર્ગ ફુટ જમીન મંદિર માટે દાનમાં આપી છે. હવે ગ્વાલ સમાજની પંચાયત અતિરિક્ત દબાણ લાદી રહી છે કે આખી જમીન જ મંદિર માટે આપી દેવામાં આવે. હવે સમાજના લોકો આખેઆખી જમીન માગી રહ્યા છે. આ માટે સતત તેમના પર દબાણ નાખવામાં આવી રહ્યું છે. કલેક્ટર ફ્રેંક નોબલે આ અંગે કહ્યું કે, જનસુનાવણીમાં આવેદન આવ્યું છે. એસડીએમને તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

હીરાલાલનું કહેવું છે કે ગ્વાલ સમાજે પંચાયત બોલાવી તેમના પરિવારનો બહિષ્કાર કર્યો છે. તેમને સમાજના કોઈ પણ કાર્યક્રમમાં ભાગ લેવા દેવામાં નથી આવી રહ્યો. પંચાયતમાં પંચનામું બનાવીને બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. પહેલા થોડો સમય આપ્યો હતો બાદમાં તેમણે તમામ સંબંધો તોડી નાખ્યા. મે મહિનામાં કોરોનાના કારણે ભાઈનું નિધન થઈ ગયું. અંતિમ સંસ્કારમાં સમાજનું કોઈ વ્યક્તિ ન આવ્યું. ઘરમાં લગ્ન હતા એમાં પણ સમાજનું કોઈ વ્યક્તિ ન આવ્યું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments