Homeગુર્જર નગરીગિરનારની ગોદમાં હર હર મહાદેવ: નાગા, અઘોરી, તપસ્વીઓનો જમાવડો

ગિરનારની ગોદમાં હર હર મહાદેવ: નાગા, અઘોરી, તપસ્વીઓનો જમાવડો

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિના ત્રિદિવસીય મેળાનો રંગેચંગે પ્રારંભ થઈ ગયો છે. મેળામાં નાગા સાધુઓ ધુણો ધખાવી બેઠા છે. બીજી તરફ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભજન, ભોજન અને ભક્તિમાં લીન થવા પહોંચી રહ્યા છે. શિવરાત્રિએ નાગા સાધુઓની રવાડી નીકળશે.

મહાશિવરાત્રીના દિવસે નાગાબાવાઓનું સરઘસ મૃગીકુંડમાં સ્નાન અને ગિરનારની તળેટીમાં થતો શંખનાદ એક આધ્યાત્મિક અનુભવ હોય છે. એક લોકવાયકા પ્રમાણે મૃગીકુંડમાં ન્હાવા લોકોને મોક્ષ મળે છે. નવ નાથ અને ચોર્યાસી શીધ્ધોના સ્થાનક ગિરનારના ભર્તુહરિ ગોપીચંદ અને અશ્વત્થામા જેવા સિધ્ધો રહે છે, અહીં શિવરાત્રીના દિવસે સિદ્ધ પુરુષો મૃગી કુંડમાં નહાવા માટે આવે છે.વળી એવી પણ માન્યતા છે કે સિદ્ધ પુરુષો એકવાર આ કુંડમાં ન્હાવા પડે છે પછી બહાર નથી નીકળતા ગિરનાર તળેટીમાં ભરાતા આ મેળામાં નાગા સાધુ આકર્ષણનું કેન્દ્ર હોય છે.

shivratri mela

ભાવિકો ભવનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ વર્ષે તંત્ર દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે ત્યારે શિવરાત્રી મેળામાં ભાવિકોને પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ ન વાપરવામાં પણ અપીલ કરવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments