Team Chabuk-National Desk: ભારતમાં સતત થઈ રહેલા વરસાદથી પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. પહાડી રાજ્યોમાં આ મેઘતાંડવને લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડથી માંડીને દિલ્હી NCR સુધી દરેક જગ્યાએ મુશળધાર વરસાદ આફત બની ગઈ છે. દિલ્હીમાં રસ્તા તળાવ બન્યાં છે, જ્યારે ઉત્તરાખંડ-હિમાચલ પ્રદેશમાં લેન્ડ સ્લાઇડની ઘટનાઓ સામે આવી રહી છે.
ઉત્તર ભારતમાં વરસાદ અને પૂર જેવી ઘટનાઓથી 53 લોકોના મોત થયા છે, એમાંથી માત્ર ઉત્તર પ્રદેશમાં 34 લોકોનાં મોત થયાં છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાનહાનિ પર દુઃખ વ્યકત કરતાં મૃતકોના પરિવારજનોને તત્કાલિક 4-4 લાખ આપવાની જાહેરાત કરી છે.
A hotel washed away in Manali #HimachalFloods
— Lost in Paradise 🇮🇳 (@Lost_human19) July 10, 2023
pic.twitter.com/Zox67R324X
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત થઈ રહેલા વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નદી-નાળા ઉફાન પર છે. નદીની પાસે અનેક ઘર પાણીમાં ડૂબી ગયાં છે. રાવી, સતલજ, સ્વાન અને ચિનાબ સહિત મુખ્ય નદીઓ ઉફાન પર છે. દિલ્હીમાં યમુના સહિત દશના ઉત્તર ભારતમાં કેટલીય નદીઓનાં જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. આ જળસ્તરમાં વધારો થવાને પગલે નદીઓએ રૌદ્ર સ્વરૃપ લીધું છે. અનેક શહેરો અને વિસ્તારોમાં રસ્તાઓ તથા રહેણાક વિસ્તારો ઘૂંટણસમા પાણીમાં ડૂબ્યા છે.
The #BeasRiver, which runs parallel to the #Manali–#Leh highway, is currently in a state of rage!#Heavyrainfall #Rainfall #HimachalFloods pic.twitter.com/fs2s6O9MRS
— Vibhor Mohan (@thevibhu90) July 10, 2023
પર્વતીય વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થયું છે. ઉત્તરાખંડના કેટલાય જિલ્લાઓમાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. ઉત્તરકાશી, હરિદ્વાર, પિથોરાગઢ, રુદ્ર-યાગ, નૈનિતાલમાં ભારે વરસાદની આશંકા વ્યકત કરવામાં આવી છે. આ સાથે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મણિપુર, પંજાબ, હરિયાણા, ઝારખંડ, બિહાર, યુપી અને પૂર્વ રાજસ્થાનમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદનું અલર્ટ જારી કરવામાં આવ્યું છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત