Team Chabuk-Gujarat Desk: ભરૂચના બંબાખાના વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. બંબાખાના વિસ્તારના કુંભારિયા ઢોળાવમાં મકાન ધરાશાયી થતાં એક જ પરિવારના 6 લોકો દટાયા હતા જેમાંથી ત્રણ બાળકોના મોત નિપજ્યા છે જ્યારે માતા-પિતાને સારવાર માટે લઈ જવાયા છે. મળતી માહિતી પ્રમાણે બંબાખાના વિસ્તારમાં આવેલા કુંભારિયા ઢોળાવમાં એક મકાન ધરાશાયી થયું. મકાનના કાટમાળમાં આખો પરિવાર દટાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર દુર્ઘટના બની ત્યારે આખો પરિવાર ઉંઘી રહ્યો હતો અને તેમના પર મકાનનો કાટમાળ પડ્યો હતો. જેથી આખો પરિવાર કાટમાળ નીચે દબાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણ બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે પરિવારના અન્ય લોકોને સારવાર માટે લઈ જવાયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને દટાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.
ધડાકાભેર મકાન ધરાશાયી થતાં આસપાસના લોકો પણ એકત્રિત થઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ પાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને તુરંત ફાયર વિભાગની ટીમે દોડી આવી રેસ્ક્યુ હાથ ધર્યું હતું. રેસ્ક્યુ દરમિયાન દંપતિને બહાર કાઢી સારવાર માટે લઈ જવાયું હતું. જ્યારે 10 વર્ષીય નિશા કિશોરભાઈ ગુજ્જર, પ્રિન્સ કિશોરભાઈ ગુજ્જર અને અંજના કિશોરભાઈ ગુજ્જર નામના ત્રણેય બાળકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. એક જ પરિવારના ત્રણ બાળકોના મોત થતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
