Homeદે ઘુમા કેઆજે ભારત VS શ્રીલંકા: મોહાલીમાં ભારત 27 વર્ષથી અજય

આજે ભારત VS શ્રીલંકા: મોહાલીમાં ભારત 27 વર્ષથી અજય

Team Chabuk-Sports Desk: ભારત અને મહેમાન શ્રીલંકાની વચ્ચે આજથી ટેસ્ટ શ્રેણીની શરૂઆત થવા જઈ રહી છે. બંને ટીમની વચ્ચે ચાર વર્ષ બાદ ટેસ્ટ મેચનું આયોજન થઈ રહ્યું છે. નવેમ્બર 2017માં ટેસ્ટ શ્રેણી રમાય તેમાં ભારતે શ્રીલંકાને 1-0થી પરાજય આપ્યો હતો. ટોસ સવારે નવ વાગ્યે અને પ્રથમ બોલ સાડા નવ વાગ્યે ફેંકાશે. મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં ભારતીય ટીમનો રેકોર્ડ શાનદાર છે. અહીં ભારતીય ટીમ છેલ્લા 27 વર્ષથી હારી નથી. 1994માં વેસ્ટઈન્ડિઝ સામે ભારતીય ટીમ 243 રનથી હારી હતી. એ પછી જેટલા પણ મેચ રહ્યા છે એ કાં તો ડ્રોમાં પરિણમ્યા છે અથવા તો ભારતે જીત્યા છે.

મોહાલીમાં ભારતનું પ્રદર્શન

ભારતે મોહાલીમાં કુલ 13 ટેસ્ટ મેચ રમી છે જેમાંથી સાતમાં વિજય પ્રાપ્ત કર્યો છે. એકમાં હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે ચાર મેચ ડ્રો રહ્યા છે. અતિથિ દેશની વાત કરવામાં આવે તો ભારત અને શ્રીલંકાની વચ્ચે મોહાલીના મેદાનમાં એક જ મેચ રમાય છે. 1997માં રમાયેલી આ મેચ ડ્રોમાં પરિણમી હતી. મોહાલીમાં ભારત પાંચ વર્ષ બાદ ટેસ્ટ મેચ રમી રહ્યું છે. નવેમ્બર 2016માં ઈંગ્લેન્ડની વિરૂદ્ધ ભારતે અંતિમ વખત આ મેદાનમાં ટેસ્ટ મેચ રમી હતી. જેનું પરિણામ પણ ડ્રો જ આવ્યું હતું.

ભારતનું પલડું ભારે

ભારત અને શ્રીલંકા વચ્ચેની ટક્કરની જો વાત કરવામાં આવે તો બંને વચ્ચે અત્યાર સુધીમાં 44 ટેસ્ટ મેચ રમાય ચૂકી છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ વીસમાં જીત જ્યારે સાતમાં હારનો સામનો કરવો પડ્યો છે. 17 મેચનું કોઈ નિષ્કર્ષ નથી આવ્યું. ભારતે ઘર આંગણે શ્રીલંકાની સામે 20 ટેસ્ટ મેચ રમ્યા છે. જેમાંથી અગિયારમાં જીત અને નવ મેચ ડ્રો રહ્યા છે. ભારત ઘર આંગણે શ્રીલંકાની સામે એક પણ ટેસ્ટ મેચ હાર્યું નથી. એવામાં શ્રીલંકાની ટીમ ભારતની સામે એક જીત માટે અને ભારત રેકોર્ડ કાયમ રાખવા મેદાનમાં ઉતરશે.

સ્પિનર્સના કામની પીચ

90ના દાયકામાં મોહાલીની પીચ ફાસ્ટ બોલર માટે આશિર્વાદ સમાન હતી. આ પીચ ભારતના એ ગ્રાઊન્ડમાંથી એક હતી જ્યાં ફાસ્ટ બોલર બોલિંગ કરવાનું પસંદ કરતા હતા. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી પીચના મૂડમાં પરિવર્તન આવ્યું છે. અહીં ફાસ્ટ બોલિંગની જગ્યાએ સ્પિન આક્રમણ વધારે ફાયદાકારક અને ધારદાર રહે છે. 2012 બાદ આ પીચ પર સ્પિનર્સનું પ્રભુત્વ રહ્યું છે. 2001થી 2010 સુધીમાં મોહાલીમાં ફાસ્ટ બોલર્સે 83 વિકેટ અને સ્પિનર્સે 80 વિકેટ લીધી હતી. 2011થી 2020 સુધીમાં સ્પિનર્સે આ મેદાન પર 81 જ્યારે ફાસ્ટ બોલર્સે 59 વિકેટ લીધી છે. છેલ્લા દસ વર્ષથી આ મેદાન પર રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાનું એકચક્રિય શાસન રહ્યું છે. એવામાં સુકાની રોહિત શર્મા પ્રથમ ટેસ્ટમાં બે સ્પિનર અને એ પણ બે અનુભવી સ્પિનર્સને લઈ મેદાનમાં ઉતરે તો નવાઈ નહીં.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments