Team Chabuk-Sports Desk: ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સીરીઝ રમવામાં વ્યસ્ત છે. આ પછી તેને વેસ્ટ ઈન્ડિઝ સામે ટી-20 અને વનડે શ્રેણી પણ રમવાની છે. વર્લ્ડ કપ 2023 (World Cup 2023) શરૂ થવામાં લગભગ 3 મહિના બાકી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પોતાની બેંચને મજબૂત કરવા ઈચ્છે છે. ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર સામે આવ્યા છે.
લગભગ દોઢ વર્ષથી ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલો ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ હવે ટૂંક સમયમાં વાપસી કરશે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તે નેટ્સ પર એક દિવસમાં લગભગ 8 થી 10 ઓવર બોલિંગ કરે છે. તે હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે અને ફિટ થવા માટે તૈયાર છે. છેલ્લા કેટલાક દિવસોમાં જસપ્રીત બુમરાહની ગેરહાજરી ટીમ ઈન્ડિયા માટે મોટી ખોટ છે.
ભારત ગયા વર્ષે એશિયા કપ અને T20 વર્લ્ડ કપ જસપ્રીત બુમરાહ વગર રમ્યું હતું. આ પછી તાજેતરમાં યોજાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જસપ્રીત બુમરાહની ગેરહાજરી ટીમ ઇન્ડિયા માટે હારનાં મુખ્ય કારણ સમાન હતી. ભારત આ ત્રણ મોટી ટુર્નામેન્ટમાં ટાઈટલ જીતી શક્યું નથી. બુમરાહની વાપસી ટીમ ઈન્ડિયાની ટીમને મજબૂત કરશે.

દિગ્ગજ બેટર શ્રેયસ ઐયર પણ આઈપીએલ પહેલા ઈજાગ્રસ્ત થયો હતો. તે આ સિઝનમાં IPLની એક પણ મેચ રમ્યો નથી. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે શ્રેયસ અય્યરે બેટિંગ શરૂ કરી દીધી છે. અય્યર ODI ક્રિકેટમાં તેની શાનદાર બેટિંગ માટે જાણીતો છે. તેણે અત્યાર સુધી 42 વનડેમાં કુલ 1631 રન બનાવ્યા છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી ઈજાગ્રસ્ત મીડિયમ પેસર બોલર પ્રસિધ કૃષ્ણા પણ ઈજામાંથી સાજો થઈ રહ્યો છે. તે નેટ્સમાં પણ સતત બોલિંગ કરી રહ્યો છે. પ્રસિધ કૃષ્ણાને વનડે વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવશે કે નહીં તે અંગે કંઈ કહી શકાય નહીં. કૃષ્ણાએ ભારત માટે અત્યાર સુધી માત્ર 14 મેચ રમી છે. આવી સ્થિતિમાં તેની પાસે અનુભવનો થોડો અભાવ છે પણ બોલર તરીકે તે તેની કમાલ અગાઉ બતાવી ચૂક્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
