Team Chabuk-National Desk: કર્ણાટકના કોપાની એક સરકારી શાળામાં વિદ્યાર્થીઓએ ભગવો રંગ પહેરીને હિઝાબનો વિરોધ કર્યો હતો. શાળાએ પહેલાથી જ વિદ્યાર્થીઓને ભગવો પહેરીને શાળામાં આવવાની પરવાનગી આપી હતી અને મુસ્લિમ વિદ્યાર્થિનીઓને કહેવામાં આવ્યું હતું કે, હિઝાબ પહેરીને ન આવો. એ પછી શાળાએ પોતાના આદેશમાં કહ્યું હતું કે દસમી જાન્યુઆરી સુધી વિદ્યાર્થી પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ પરિધાન પહેરી શકે છે. તેના વિરોધ સ્વરૂપ વિદ્યાર્થીઓએ ભગવો સ્કાર્ફ પહેરવાનું શરૂ કરી દીધું હતું.
શાળાના આચાર્ય અનંત મૂર્તિએ કહ્યું કે, વિદ્યાર્થીઓના પોશાક પરનો નિર્ણય અભિભાવકોની સાથે થયેલી બેઠક બાદ લેવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, આ પૂર્વે પણ આ પ્રકારની ઘટનામાં અમે શિક્ષકો અને વાલીઓની બેઠક કરીને અંતિમ નિર્ણય પર પહોંચ્યા છીએ. ત્રણ વર્ષ પહેલા પણ વસ્ત્રોને લઈ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેનું પાલન હજુ સુધી કરવામાં આવી રહ્યું છે, પણ કેટલાક વિદ્યાર્થીઓ અચાનક ભગવો પહેરીને શાળાએ આવવા લાગ્યા. તેમણે કહ્યું કે દસમી જાન્યુઆરી સુધી બેઠક બાદ નિર્ણય લઈ લેવામાં આવશે.
વિદ્યાર્થીઓએ એક ખાનગી ન્યૂઝ પોર્ટલને જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા પણ હિઝાબને લઈ શાળામાં વિવાદ થયો હતો. ત્યારે એ નિર્ણય લેવામાં આવ્યો હતો કે અહીં કોઈ હિઝાબ પહેરીને નહીં આવે. પણ ગત કેટલાક દિવસોથી કેટલીક વિદ્યાર્થિનીઓ હિઝાબ પહેરીને શાળાએ આવવા લાગી હતી. જેના વિરોધમાં વિદ્યાર્થીઓએ ભગવો પહેરી વિરોધ કરવાનો નિર્ણય લીધો.
વધુમાં ભગવો પહેરનારા વિદ્યાર્થીઓએ એ પણ જણાવ્યું હતું કે, શાળા પ્રબંધન પણ વિદ્યાર્થિનીઓને હિઝાબ પહેરીને ન આવવું તેવું કહી ચૂક્યું છે. પણ આ વિદ્યાર્થિનીઓએ એ વાત નથી માની. વિદ્યાર્થીઓએ એમ પણ કહ્યું કે, જો આ મુદ્દાનો ઉકેલ આવતો નથી તો વિરોધ યથાવત્ રહેશે અને આગળ જતાં વધુ થશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત