Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરઃ વસ્તડી પાસે પગપાળા જઈ રહેલા જૈન સાધ્વીજીને અડફેટે લઈ અજાણ્યો વાહનચાલક...

સુરેન્દ્રનગરઃ વસ્તડી પાસે પગપાળા જઈ રહેલા જૈન સાધ્વીજીને અડફેટે લઈ અજાણ્યો વાહનચાલક ફરાર

Team Chabuk-Gujarat Desk: લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર પગપાળા જઈ રહેલા જૈન સાધ્વીજીને અકસ્માત નડ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ પાસે જૈન સાધ્વીજીને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં ગંભીર ઈજાઓ પહોંચી છે. મળતી માહિતી પ્રમાણે અજાણ્યા વાહનચાલકે બે સાધ્વીજી સહિત ત્રણને અડફેટે લીધાં હતા જેમાંથી બે સાધ્વીજીને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર જૈન સાધ્વીજીનો સંઘ પગપાળા જઈ રહ્યો હતો. તે દરમિયાન વઢવાણ તાલુકાના વસ્તડી ગામ નજીક એક અજાણ્યા વાહનચાલકે પગપાળા વિહાર કરી રહેલા બે જૈન સાધ્વીજી સહિત ત્રણને અડફેટે લીધા હતા. જેમાં બે સાધ્વીજીને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માતનો જાણ થતાં લોકો દોડી આવ્યા હતા અને બે સાધ્વીજી સહિત ત્રણેયને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ઈજાગ્રસ્તોની સારવાર શરૂ કરવામાં આવી છે.

અજાણ્યો વાહનચાલક જૈન સાધ્વીજીને અડફેટે લઈ અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો છે. જૈન સાધ્વીજીને અડફેટે લઈને વાહનચાલક નાસી જતાં જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments