Homeગુર્જર નગરીજલારામ બાપાની 141મી પુણ્યતિથિઃ વીરપુરમાં ઉમટ્યા ભક્તો, વીરપુરના વેપારીઓએ બંધ રાખ્યા ધંધા-રોજગાર

જલારામ બાપાની 141મી પુણ્યતિથિઃ વીરપુરમાં ઉમટ્યા ભક્તો, વીરપુરના વેપારીઓએ બંધ રાખ્યા ધંધા-રોજગાર

Team Chabuk-Gujarat Desk: “દેને કો ટુકડા ભલા,લેને કો હરિ નામ” સૂત્રને જીવન મંત્ર બનાવનારા વીરપુરના સંત શિરોમણી જલારામ બાપાની આજે ૧૪૧ પુણ્યતિથિ છે.  સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર કે જ્યાં સંત શિરોમણી જલારામ બાપાનું મંદિર આવેલું છે.

દેશ વિદેશથી જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે. જલારામ બાપાએ શરૂ કરેલું ભુખ્યા માટે સદાવ્રત અન્નક્ષેત્ર ૨૦૦ વર્ષથી આજે પણ અવિરત ચાલુ છે. સંત જલારામ બાપા સેવકો સાથે ભજન કરતા-કરતા વિક્રમ સવંત ૧૯૩૭ મહા વદને દશમીને બુધવારના દિવસે સ્વર્ગલોક સીધાવ્યા હતા. ત્યારથી ગુજરાતી માસ મુજબ મહા વદને દશમના દિવસે જલારામ બાપાનો નિર્વાણ દિન એટલે પૂજ્ય બાપાની પુણ્યતિથિ તરીકે મનાવાય છે.

જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર વીરપુર ગામના નાના-મોટા તમામ વેપારીઓ અને વીરપુર વેપારી એસોસિએશને સંપૂર્ણ બંધ પાળી બાપાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આ ઉપરાંત વીરપુર આવતા ભાવિકો, યાત્રાળુઓ માટે અન્નક્ષેત્ર ચાલુ જ રખાયું છે. આ ઉપરાંત ભક્તો દર્શન કરી શકે તે માટે રાબેતા મુજબ જલારામ બાપાની જગ્યા પણ ખુલી રાખવામાં આવી. તો જલારામ બાપાના પરિવારજનો તેમજ જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા પૂજ્ય જલાબાપાની ખાસ પૂજા-અર્ચના કરવામાં આવી. સાથેજભાવિક ભક્તજનોને અન્નક્ષેત્રમાં મહાપ્રસાદ આપવામાં આવ્યો..

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments