Homeગુર્જર નગરીજામનગર: કોરોનાના કેસ શૂન્ય, આરોગ્ય તંત્રએ લીધો રાહતનો શ્વાસ

જામનગર: કોરોનાના કેસ શૂન્ય, આરોગ્ય તંત્રએ લીધો રાહતનો શ્વાસ

Team Chabuk-Gujarat Desk: વર્ષ 2019થી પ્રથમ ચીન બાદમાં સમગ્ર વિશ્વને રંઝાડનારો કોરોના હવે ક્યાં છે? આ પ્રશ્ન ઉપસ્થિત થવો જોઈએ. શિયાળામાં સંભવિત ત્રીજી લહેરના આગામનની ઊંચી ઊંચી વાતો થતી હતી, એ શરદી-ઉધરસમાં ખપી ગઈ. તોપણ કોરોના કેટલાક નિર્દોષોનો જીવ લઈ ગયો. હવે દેશ દુનિયામાં કોરોનાના કેસનો ગ્રાફ સતત નીચો જઈ રહ્યો છે.

આનંદની વાત જામનગર જિલ્લાની છે. જામનગર જિલ્લામાં કોરોનાએ પહેલી અને બીજી લહેરમાં તાંડવ મચાવ્યું હતું. કેસનો રાફડો ફાડ્યો હતો. જી.જી.હોસ્પિટલમાં દર્દીઓનું કિડીયારું ઊભરાયું હતું. પરંતુ આખરે કોરોનાના વોર્ડને તાળા મારવાની નોબત આવી છે, કારણ કે અહીં કોરોનાના કેસ શૂન્ય થઈ ગયા છે. જેટલા દર્દીઓ સાજા થયા તેમને રજા આપી દેવામાં આવી છે. હોસ્પિટલનો સ્ટાફ પણ કોરોનાના કેસની અનુપસ્થિતિથી આનંદમાં છે.

જામનગરની આધારસ્તંભ એવી જી.જી.હોસ્પિટલમાં એક સમયે એક સાથે ત્રણસો જેટલા દર્દીઓ દાખલ હતા. કેટલાક દર્દીઓ કોરોનાને પરાસ્ત કરી ઘરે પરત ફર્યાં તો કેટલાક દર્દીઓના મૃત્યુ પણ નીપજ્યા. હવે છેલ્લા કેટલાક સમયથી સંભવિત ત્રીજી લહેર પૂર્ણાહુતિ તરફ જઈ રહી છે. છેલ્લા અઠવાડિયાની જો વાત કરવામાં આવે તો ત્રણ દર્દીઓ સારવાર હેઠળ હતા. હવે અંતિમ દર્દીને પણ સ્વસ્થ થતાં રજા આપી દેવામાં આવી છે.

આ સિવાય જામનગર જિલ્લા માટે આનંદની વાત એ પણ કહી શકાય કે કોરોનાના કેસનો આંકડો છેલ્લા ત્રણ દિવસથી શૂન્ય આવી રહ્યો છે. કોરોનાના વળતા પાણી થતાં હવે જામનગરના આરોગ્ય તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments