Homeગુર્જર નગરીજામનગર: નોકરી પર રાખી ત્રણ મહિના સુધી નરાધમ કિશોરી પર દુષ્કર્મ આચરતો...

જામનગર: નોકરી પર રાખી ત્રણ મહિના સુધી નરાધમ કિશોરી પર દુષ્કર્મ આચરતો રહ્યો

Team Chabuk-Gujarat Desk: ગુજરાતના શાંત શહેર ગણાતા જામનગરમાં દુષ્કર્મની ઘટના બનવા પામી છે. યુવકે અહીં 16 વર્ષની કિશોરીને પોતાની દુકાને કામમાં રાખી હતી અને પછી એકલતાનો લાભ ઉઠાવી તેને હવસની શિકાર બનાવી હતી. યુવતીએ કરેલી પોલીસ ફરિયાદ અનુસાર હવસના પુજારીએ ત્રણ મહિનામાં અનેક વખત કિશોરીને પીંખી નાખી હતી.

આ સમગ્ર ઘટના બની છે શહેરના પોશ ગણાતા વિસ્તારમાં. સગીરાના પરિવારજનોએ આ પરણિત યુવકની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને એ પણ જણાવ્યું છે કે, આરોપી તેની સાથે શરીરસુખ માણ્યા બાદ કોઈને કહે તો જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારતો હતો. પોલીસે પણ કામ અપાવવાના બહાને દુષ્કર્મ આચરનારા આ શખ્સની ધરપકડ કરવા માટે જહેમત ઉઠાવી રહી છે.

દુષ્કર્મ આચર્યાની આ ફરિયાદ સિટી.સી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે જામનગર શહેરમાં વસવાટ કરતા એક પરિવારની 16 વર્ષની કિશોરી આ શોખીન વ્યક્તિની ઓફિસમાં એટેન્ડેટ તરીકેની કામગીરી કરતી હતી. કિશોરીને ત્યાં સુધી આવું કંઈ થશે તેની જાણ ભનક સુદ્ધાં નહોતી. પરણિત જહાંગીર 16 વર્ષની આ કિશોરીની સાથે મિત્રતા કેળવી હતી, તેની માસૂમિયતનો ફાયદો ઉઠાવ્યો હતો અને બાદમાં ત્રણ મહિના સુધી તેના શરીર સાથે રમ્યો હતો. આ નરાધમે તારીખ 2 એપ્રિલ 2021થી 30 જૂન 2021 સુધી કિશોરી પર અનેકાધિક વખત દુષ્કર્મ આચર્યું હતું.

બાદમાં પરિવારજનોને આ વાતની જાણ થતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ આ સમગ્ર ઘટનામાં આરોપી એવા પરણિત ઢગા જહાંગીરને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર ઘટનાની ઝીણવટપૂર્વક તપાસ કરી રહેલા પી.આઈ ગાંધે સાહેબે આરોપીના સંદર્ભમાં જણાવ્યું હતું કે, આરોપી અને તેનો પરિવાર માથાભારે છે. જેણે શંકર ટેકરી વિસ્તારમાં હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો.

add

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments