Homeગુર્જર નગરીજામનગર: લ્યો બોલો... જન્મ-મરણ શાખામાં અધિકારીને ઢીબી નાખ્યા

જામનગર: લ્યો બોલો… જન્મ-મરણ શાખામાં અધિકારીને ઢીબી નાખ્યા

Team Chabuk-Gujarat Desk: જામનગર મહાનગરપાલિકામાં અવાર નવાર બનતી અને છાપે ચઢી પોકારતી કર્મચારી અને અધિકારીઓને માર મારવાની ઘટના ફરી એક વખત બની છે. આ વખતે કાચ તૂટ્યા છે અને એટલું જ નહીં અધિકારીને ઢીબી નાખવામાં પણ આવ્યા છે.

જામનગર મહાનગરપાલિકામાં બુધવારે આવી જ એક ઘટનાએ શહેરને ગજવી મૂક્યું હતું. જ્યાં જન્મ-મરણ વિભાગની શાખામાં કોર્પોરેટરે પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડતા અધિકારીને ધુંબા માર્યા હતા. શાખાનો કાચ તોડ્યો હતો. આ બધું જોઈ કચેરીમાં કામ કરતી મહિલાઓ ગોકિરો કરતી ત્યાંથી ભાગી છૂટી હતી. જોકે પછી ઘીના ઠામમાં ઘી ઢળ્યું હતું. અર્થાત્ કોર્પોરેટર અને અધિકારીની વચ્ચે સમાધાન થઈ ગયું હતું.

આ ઘટનાના મૂળિયા એવા છે કે વિપક્ષના કોર્પોરેટરે જન્મ-મરણ શાખાના એક અધિકારીને ફોન પર કોઈની ભલામણ કરી હશે. ભલામણનો ઉત્તર બરાબર મળ્યો નહોતો. જેથી કોર્પોરેટર ક્ષણ વારમાં કોપિત થઈ ગયા હતા. જામનગર મહાપાલિકાએ દોડી આવ્યા અને ત્યાં અધિકારીને ધુંબાવાળી કરી ટેબલના કાચ તોડી નાખ્યા હતા. બનાવ બન્યો એ સાથે મહિલાઓ ગોકિરો કરતી દોડીને બહાર નીકળી ગઈ હતી. અંતે રાબેતા મુજબ અન્ય કર્મચારીઓ આડે પડ્યા હતા અને ઘટના પર ઠંડુ પાણી રેડાયું હતું.

આ ઘટના વિશે જ્યારે જામ્યુકોના ડીએમસી એ.કે. વસ્તાણીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘મને આ ઘટના અંગે કોઈ જાણ નથી, કંઈ ખબર નથી કે મને કોઈએ ફરિયાદ કરી નથી. જો આવું બન્યું હોય તો અત્યંત ખરાબ કહેવાય. હું આ બાબતે સંબંધિત અધિકારી સાથે વાત કરીશ અને ઘટનાની તપાસ કરીશ.’ જોકે આ સમગ્ર ઘટનાથી ફરી એક વખત અધિકારીની સહનશીલતાના દર્શન થયા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments