Homeગુર્જર નગરીજૂનાગઢ: પરિવાર માનતા પૂરી કરવા ગયું તો ચોરોએ ઘરનું તાળું તોડી અંદર...

જૂનાગઢ: પરિવાર માનતા પૂરી કરવા ગયું તો ચોરોએ ઘરનું તાળું તોડી અંદર ઘુસી જઈ પોતાની માનતા પૂર્ણ કરી લીધી

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના વંથલી તાલુકામાં એક પરિવાર ઘરને તાળા મારી માનતા પૂરી કરવા માટે ગયું હતું. ત્યારે તસ્કરોએ ઘરમાં ઘુસી જઈ રોકડ રકમ સહિત દાગીનાની લૂંટ ચલાવી પોતાની માનતા પૂરી કરી લીધી હતી. હાલ ઘરમાં હાથફેરો કરી જનારા ચોરો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, પોલીસે ચોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.  

ગુજરાતમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે, તો લગ્નમાં કે કોઈ વ્યાવહારિક કામે જતા લોકોના ઘર તસ્કરોના નિશાન બની રહ્યા છે. જૂનાગઢના વંથલીમાં પણ માનતા પૂરી કરવા ગયેલા પરિવારજનો જ્યારે પરત આવ્યા ત્યારે તેમનું ઘર ખાલી હતું. વંથલીમાં રહેતા બસીરભાઈ અહેમદભાઈ બુખારીએ નોંધાવેલી પોલીસ ફરિયાદના આધારે, બસીરભાઈ રાણાવાવ ખાતે બહેનને ત્યાં માનતા પૂર્ણ કરવા માટે ગયા હતા. એવામાં ઘરના પાછળના દરવાજાની ગ્રીલ તોડી તસ્કરોએ ચોરીના ઈરાદે ઘર પ્રવેશ કર્યો હતો.

બસીરભાઈના ઘરમાં રહેલા કબાટનો લોક તોડી રોકડ રૂપિયા દસ હજાર અને સોનાની એરિંગની ચોરી કરી હતી. આ કુલ માલ 65 હજાર રૂપિયાનો હતો. પરિવાર જ્યારે ઘરે પરત ફર્યો ત્યારે તેમને ચોરી થયાની ખબર મળતા આ અંગેની વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અજાણ્યા ઈસમો વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments