Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના વંથલી તાલુકામાં એક પરિવાર ઘરને તાળા મારી માનતા પૂરી કરવા માટે ગયું હતું. ત્યારે તસ્કરોએ ઘરમાં ઘુસી જઈ રોકડ રકમ સહિત દાગીનાની લૂંટ ચલાવી પોતાની માનતા પૂરી કરી લીધી હતી. હાલ ઘરમાં હાથફેરો કરી જનારા ચોરો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, પોલીસે ચોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
ગુજરાતમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે, તો લગ્નમાં કે કોઈ વ્યાવહારિક કામે જતા લોકોના ઘર તસ્કરોના નિશાન બની રહ્યા છે. જૂનાગઢના વંથલીમાં પણ માનતા પૂરી કરવા ગયેલા પરિવારજનો જ્યારે પરત આવ્યા ત્યારે તેમનું ઘર ખાલી હતું. વંથલીમાં રહેતા બસીરભાઈ અહેમદભાઈ બુખારીએ નોંધાવેલી પોલીસ ફરિયાદના આધારે, બસીરભાઈ રાણાવાવ ખાતે બહેનને ત્યાં માનતા પૂર્ણ કરવા માટે ગયા હતા. એવામાં ઘરના પાછળના દરવાજાની ગ્રીલ તોડી તસ્કરોએ ચોરીના ઈરાદે ઘર પ્રવેશ કર્યો હતો.
બસીરભાઈના ઘરમાં રહેલા કબાટનો લોક તોડી રોકડ રૂપિયા દસ હજાર અને સોનાની એરિંગની ચોરી કરી હતી. આ કુલ માલ 65 હજાર રૂપિયાનો હતો. પરિવાર જ્યારે ઘરે પરત ફર્યો ત્યારે તેમને ચોરી થયાની ખબર મળતા આ અંગેની વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અજાણ્યા ઈસમો વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
