Homeદે ઘુમા કેશ્રીલંકા સામેની વન-ડે શ્રેણીમાં ભારતીય ટીમમાં આ ઘાતક બોલરની થઈ વાપસી

શ્રીલંકા સામેની વન-ડે શ્રેણીમાં ભારતીય ટીમમાં આ ઘાતક બોલરની થઈ વાપસી

Team Chabuk-Sports Desk: આજથી ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 મેચની શ્રેણી શરૂ થવા જઈ રહી છે. આ વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમ માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. ટી-20 મેચની શ્રેણી બાદ શ્રીલંકા સાથે શરૂ થઈ રહેલી વન-ડે શ્રેણીમાં ઝડપી બોલર જસપ્રીત બુમરાહની ટીમમાં વાપસી થઈ છે. 10 જાન્યુઆરીથી શરૂ થનારી શ્રીલંકા સામેની વન-ડે શ્રેણીમાં ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહને સ્થાન મળ્યું છે.

મહત્વનું છે કે, જસપ્રીત બુમરાહ ઈજાને કારણે સપ્ટેમ્બર 2022થી ક્રિકેટથી દૂર હતો. પરંતુ હવે તેણે નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. અખિલ ભારતીય પસંદગી સમિતિએ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને શ્રીલંકા વિરુદ્ધ આગામી ત્રણ મેચની વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમમાં જગ્યા આપી છે.

જસપ્રીત બુમરાહ સપ્ટેમ્બર 2022થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર હતો. તે પીઠમાં ઈજાને કારણે ટી-20 વિશ્વકપમાંથી પણ બહાર થઈ ગયો હતો. ભારતનો આ ઘાતક બોલર રિબેબિલિટેશનથી પસાર થયો છે અને હવે તેને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીએ ફિટ જાહેર કરી દીધો છે.

vinayak

શ્રીલંકા વિરુદ્ધ વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર),  ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વોશિંગટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments