Homeદે ઘુમા કેમુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો, જસપ્રીત બુમરાહ થઈ શકે છે IPLમાંથી બહાર

મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો, જસપ્રીત બુમરાહ થઈ શકે છે IPLમાંથી બહાર

Team Chabuk-Sports Desk: Indian Premier League 2023માં મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો લાગી શકે છે. આ સિઝનમાંથી સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ બહાર થઈ શકે છે. ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ફરી મેદાનમાં આવે તેની તમામ ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બધાને આશા હતી કે તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની સીઝનમાં ફિટ થઈને પરત ફરશે, પરંતુ હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ તે આખી સીઝનમાંથી બહાર થઈ શકે છે.

બુમરાહ હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિહેબમાંથી પસાર થઈ રહ્યો છે અને કેટલાક સમયથી ત્યાં બોલિંગની પ્રેક્ટિસ પણ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે તે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીની છેલ્લી 2 મેચમાં રમતા જોવા મળશે, પરંતુ પસંદગીકારોએ તેની ફિટનેસના આધારે કોઈ જોખમ લીધા વિના તેને ટીમમાં સામેલ કર્યો ન હતો.

ગત વર્ષે T20 વર્લ્ડ કપ પહેલા તે ઓસ્ટ્રેલિયા સામે T20 શ્રેણી દરમિયાન રમ્યો હતો પરંતુ તે પછી તેને પીઠની ઈજાને કારણે બહાર થવું પડ્યું હતું. હવે લગભગ 8 મહિના પસાર થઈ ગયા છે, તેની ફિટનેસને લઈને આવી રહેલા અહેવાલો અનુસાર, એવી આશા હતી કે તે IPL 2023ની સિઝનમાંથી વાપસી કરશે, પરંતુ Cricbuzzના એક સમાચાર અનુસાર, તે આ આખી સિઝનમાંથી પણ બહાર રહી શકે છે.

જસપ્રિત બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. જે આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી સફળ ફ્રેન્ચાઈઝી છે. બુમરાહના બહાર થવાથી તેની અસર ટીમના બોલિંગ ઓર્ડર પર સ્પષ્ટપણે જોઈ શકાય છે. આવી સ્થિતિમાં, ફ્રેન્ચાઇઝી માટે બુમરાહનો વિકલ્પ શોધવો અઘરુ કામ બની જશે.

જો કે, ટીમ માટે સારા સમાચાર એ છે કે જોફ્રા આર્ચર, જે ગત સિઝનમાં અનફિટ હોવાને કારણે આખી સિઝનમાં બહાર રહ્યો હતો, તે આગામી સિઝનમાં ટીમ માટે બુમરાહની ગેરહાજરીમાં ઝડપી બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરતો જોવા મળી શકે છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments