Homeગુર્જર નગરીજૂનાગઢ: ઉપરકોટના રાણકદેવી મહેલનો ઘુમ્મટ ધરાશાયી થતા એક મજૂરનું મોત

જૂનાગઢ: ઉપરકોટના રાણકદેવી મહેલનો ઘુમ્મટ ધરાશાયી થતા એક મજૂરનું મોત

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના ઐતિહાસિક વિરાસત સમાન ઉપરકોટની રાણકદેવીના મહેલનો ઘુમ્મટ ધડાકાભેર ધરાશાયી થયો હતો. ઘુમ્મટ કામ કરી રહેલા શ્રમિકોની માથે પડતા દબાઈ ગયા હતા. દબાયેલા શ્રમિકોને તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં ચાર પૈકી એકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.

Uparkot

મૃતકનું નામ સોનુસિંહ રજતસિંહ ઠાકોર છે. તેઓ છેલ્લા લાંબા સમથી અહીં કામગીરી કરી રહ્યા હતા. જ્યારે અન્ય શ્રમિકોને ઈજા પહોંચ્યાના સમાચાર છે. અન્ય ત્રણ શ્રમિકો સોનુંસિંહ સુભાષસિંહ ઠાકોર, સુરજીત યાદવ અને દોલત ગોપાલ સિંહ સારવાર હેઠળ છે.

Uparkot

ઉલ્લેખનીય છે કે છેલ્લા લાંબા સમયથી ઉપરકોટની રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. અકસ્માતની ઘટના બનતા જ ઉપરકોટમાં રિનોવેશનની કામગીર તુરંત અટકાવી દેવામાં આવી છે. કામ કરી રહેલા મજૂરનું મૃત્યુ થતાં પરપ્રાંતિય મજૂરોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

Uparkot

મજૂરો જ્યારે કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક આ ગોઝારી ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. હાલ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments