Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ શહેરમાં બસ સ્ટેન્ડ તરફથી આગળ જતા આવે છે ગાંધીચોક. અહીં ઢાલ રોડ ચડતા આવે છે મટન માર્કેટ. હવે એ મટન માર્કેટને સુખનાથ ચોક ફેરવવા માગ કરવામાં આવી છે. આ અંગે ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય અને પૂર્વ કોર્પોરેટર વહાબભાઇ કુરેશીએ મનપાના કમિશ્નર, મેયર વગેરેને સંબોધીને આવેદન પત્ર આપી રજૂઆત કરી છે.
એમણે કરેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે શહેરની વચ્ચોવચ્ચ ગાંધીચોકમાં મટન માર્કેટ આવેલી હોય લોકોને હાલાકી અને અવરોધનો સામનો કરવો પડે છે. જેથી મટન માર્કેટના આ સ્થળને સુખનાથ ચોકમાં ફેરવવાનું આવેદન પત્ર લખી તેમણે રજૂઆત કરી છે.
તેઓએ આ મટન માર્કેટને સુખનાથ ચોક વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાના બિનઉપયોગી ડેલામાં ખસેડવાનું પોતાના આવેદન પત્રમાં જણાવ્યું છે. વધુમાં નોંધ્યું છે કે અહીં વિશાળ જગ્યા હોવાથી મટન માર્કેટ તેમજ સ્લોટર હાઉસ પણ બની શકે છે. પરિણામે બન્ને માટે અલગ અલગ જગ્યા પણ ફાળવવી નહિ પડે.
ઉલ્લેખનીય છે કે વર્ષોથી જૂનાગઢ શહેરમાં ગાંધીચોકની સામે જ મટન માર્કેટ આવેલી છે. ત્યારે આવનારા સમયમાં આ માર્કેટ આવેદન પત્ર મુજબ અન્યત્રે ખસેડવામાં આવે છે કે પછી ત્યાં ને ત્યાં રહે છે તે જોવાનું રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત