Team Chabuk-Gujarat Desk: આખરે ચાર દિવસથી ગુમ થયેલા જૂનાગઢના ભવનાથમાં આવેલા ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ બાપુનો પત્તો લાગ્યો છે. છેલ્લા ચાર દિવસથી ગુમ થયેલા હરિહરાનંદ બાપુ મહારાષ્ટ્રથી મળી આવ્યાની જાણકારી પ્રાપ્ત થઈ છે. બાપુને હાલ વડોદરા લાવવામાં આવી રહ્યા છે. હરિહરાનંદ બાપુ મહારાષ્ટ્રના એક સેવકને મળ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી વડોદરા પોલીસ હરિહરાનંદ બાપુને શોધી રહી હતી.
હરિહરાનંદ બાપુ મળી આવ્યાના સમાચાર મળતાં જ અનુયાયીઓમાં ખુશી જોવા મળી રહી છે. તેમના ગુમ થવાથી ભવનાથ તળેટી સ્થિત ભારતી આશ્રમ હજુ સૂમસામ જોવા મળી રહ્યો છે. હરિહરાનંદ બાપુ મળી આવતાં અમદાવાદમાં આવેલ સરખેજ આશ્રમના વિવાદ અંગે અનેક ખુલાસા થશે.

હરિહરાનંદ બાપુને શોધવા માટે પોલીસે ઈનામની પણ જાહેરાત કરી હતી અને લોકોને વિનંતી કરી હતી કે જો કોઈને બાપુ અંગેની જાણકારી મળે તો પોલીસને તુરંત જાણ કરે.
તો બીજી તરફ, ભારતી આશ્રમના હરિહારાનંદ બાપુ મામલે જેમના સામે આરોપ મૂકાયો છે તે આશ્રમના ઋષિ બાપુએ કહ્યુ કે, મને બદનામ કરવા માટે આરોપ લગાવાયા છે. બાપુની પ્રતિષ્ઠાને લાંછન લગાવવામાં આવ્યું છે. કેટલાક લોકો સંતત્વને લાયક નથી હોતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત