Homeગુર્જર નગરીચાર દિવસથી ગુમ ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ બાપુ મળી આવ્યા

ચાર દિવસથી ગુમ ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ બાપુ મળી આવ્યા

Team Chabuk-Gujarat Desk: આખરે ચાર દિવસથી ગુમ થયેલા જૂનાગઢના ભવનાથમાં આવેલા ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ બાપુનો પત્તો લાગ્યો છે. છેલ્લા ચાર દિવસથી ગુમ થયેલા હરિહરાનંદ બાપુ મહારાષ્ટ્રથી મળી આવ્યાની જાણકારી પ્રાપ્ત થઈ છે. બાપુને હાલ વડોદરા લાવવામાં આવી રહ્યા છે. હરિહરાનંદ બાપુ મહારાષ્ટ્રના એક સેવકને મળ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી વડોદરા પોલીસ હરિહરાનંદ બાપુને શોધી રહી હતી. 

હરિહરાનંદ બાપુ મળી આવ્યાના સમાચાર મળતાં જ અનુયાયીઓમાં ખુશી જોવા મળી રહી છે. તેમના ગુમ થવાથી ભવનાથ તળેટી સ્થિત ભારતી આશ્રમ હજુ સૂમસામ જોવા મળી રહ્યો છે. હરિહરાનંદ બાપુ મળી આવતાં અમદાવાદમાં આવેલ સરખેજ આશ્રમના વિવાદ અંગે અનેક ખુલાસા થશે. 

joi e che

હરિહરાનંદ બાપુને શોધવા માટે પોલીસે ઈનામની પણ જાહેરાત કરી હતી અને લોકોને વિનંતી કરી હતી કે જો કોઈને બાપુ અંગેની જાણકારી મળે તો પોલીસને તુરંત જાણ કરે.

તો બીજી તરફ, ભારતી આશ્રમના હરિહારાનંદ બાપુ મામલે જેમના સામે આરોપ મૂકાયો છે તે આશ્રમના ઋષિ બાપુએ કહ્યુ કે, મને બદનામ કરવા માટે આરોપ લગાવાયા છે. બાપુની પ્રતિષ્ઠાને લાંછન લગાવવામાં આવ્યું છે. કેટલાક લોકો સંતત્વને લાયક નથી હોતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments