Homeગુર્જર નગરીજૂનાગઢ: ભેંસાણના ખેડૂતને નકલી બિયારણ પધરાવી દેતા ડુંગળીના ભાવ ગગડીને આટલા થઈ...

જૂનાગઢ: ભેંસાણના ખેડૂતને નકલી બિયારણ પધરાવી દેતા ડુંગળીના ભાવ ગગડીને આટલા થઈ ગયા

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ખેડૂતે જમીન તૈયાર કરી લીધી, પાક વાવ્યો, બિયારણ નાખ્યું અને હવે મળનારા ફળની પ્રતીક્ષા કરી રહ્યા ત્યાં ધબડકો થઈ ગયો. વાત જાણે એવી છે કે ભેંસાણના ખેડૂતે આક્ષેપ કર્યો છે કે તેઓને નકલી બિયારણ પધરાવી દેવામાં આવ્યું છે.

ખેડૂતનું નામ છે મગનભાઈ ભેંસાણીયા. એમણે પોતાની 6 વીઘા જમીનમાં ચાલીસ હજારની દવા, બિયારણ અને ખાતરનો ખર્ચ કરી વાવેતર કર્યું હતું. બિયારણ તેમણે જે તે સમયે 2500 રૂપિયા પ્રતિકિલોના ભાવે ખરીદ્યુ હતું. જ્યારે પાક તૈયાર થયો ત્યારે ખબર પડી કે આ તો નકલી બિયારણ છે.

ખેડૂતનું કહેવું છે કે, ડુંગળી કંઈક અલગ જ જાતની હોય તેમ 100થી 150 રૂપિયા જ મળી રહ્યા છે. ખેડૂતનું કહેવું છે કે વેપારીએ જો ઓરિજનલ બિયારણ આપ્યું હોત તો 600 રૂપિયા ભાવ મળેત. જે તે બિયારણ કંપની દ્વારા સર્વે પણ કરવામાં આવ્યો છે. આમ છતાં વળતર ચૂકવવામાં આવ્યું નથી. આગામી દિવસોમાં આ ખેડૂત છેતરપિંડીનો કેસ કરવાની તૈયારી કરી રહ્યા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments