Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના સરદાર પરા વિસ્તારમાં એક યુવાને થોડા દિવસ પહેલા ગળેટૂંપો ખાઈ આયખું ટૂંકાવ્યું હતું. પોલીસે તપાસ હાથ ધરતા ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવી લઈ મરવા માટે મજબૂર કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે હવે એ દિશામાં તપાસ હાથ ધરી છે. જ્યારે શોકમાં ગરકાવ પરિવારજનોને પણ યુવાનનું મૃત્યુ પાછળ આવું કારણ હોવાનું સામે આવતા અચંબામાં ગરકાવ થઈ ગયા હતા.
ઘટનાની પ્રાપ્ત વિગતો કંઈક એવી છે કે ભેંસાણ તાલુકામાં ભાર્ગવ નામની વ્યક્તિએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આત્મહત્યાની ઘટનાથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. યુવાનના પિતા રમેશભાઈ કપૂરિયાએ આ અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે મૃતક યુવાનની કોલ ડિટેલ્સ કઢાવી હતી. જેમાં સામે આવ્યું હતું કે એક શખ્સ છોકરીઓની લાલચ આપી રૂપિયા 53020 ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. જેથી હાલ આ શખ્સની વિરુદ્ધ ભાર્ગવને આત્મહત્યા કરવા મજબૂર કર્યાંની ફરિયાદ નોંધવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત