સોરઠ ધરા સોહામણી અને ગઢ જુનો ઇ ગીરનાર જ્યાં હાવજડા હેંજડ પીવે અને નમણા ઈ નર અને નાર
Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ (Junagadh)માં ચોમાસાની મજા માણવા પ્રવાસીઓ ગીરનાર (Girnar) પર મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ગીરનાર જાણે ગુજરાતનું હિલ સ્ટેશન (Hill Station) બની ગયું હોય તેમ ગુજરાત અને રાજ્ય બહારના પ્રવાસીઓ કુદરતી નજારો નિહાળવા અને મા અંબાના દર્શન કરવા ઉમટી પડ્યા છે.
જૂનાગઢમાં હાલ ચોમાસું જામ્યું છે. ગીરનાર જાણે સોળે કાળાએ ખીલ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે ઠેર-ઠેરથી પ્રવાસીઓ કુદરતી નજારો નિહાળવા ગીરનાર ખાતે આવી રહ્યા છે. પ્રવાસીઓ હાલ મા અંબાના દર્શન કરવાનો લહાવો લઈ રહ્યા છે અને સાથે સાથે કુદરતના સાનિધ્યમાં આવી ખુશીની અનુભૂતિ કરી રહ્યા છે. હાલ ગીરનાર હિલ સ્ટેશન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. લોકો કાશ્મીર, માઉન્ટ આબુ, સાપુતારા જેવા હિલ સ્ટેશનો પર જવાની જગ્યાએ ગીરનારની પર્વત માળાઓ પર કુદરતી નઝારો નિહાળવા ઉમટી પડ્યા છે.

ચોમાસાની ઋતુમાં લોકો કુદરતના સાનિધ્યમાં આવી મજા માણી રહ્યા છે. ખાસ કરીને જૂનાગઢમાં રહેતા લોકો મહેમાનોને પણ આ કુદરતી લાભ લેવા આમંત્રિત કરી રહ્યા છે. કહેવાય છે ગીરનાર પર્વત પર તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે. સાધુ-સંતોની ભૂમિ છે. 9 મહિના પહેલા એશિયાનો સૌથી ઉંચો કહી શકાય તેવો રોપ-વે (Rope-way) શરૂ કરવામાં આવ્યો છે. જેથી વૃદ્ધો અને દિવ્યાંગ લોકો પણ મા અંબાના દર્શન કરવાનો લ્હાવો લઈ રહ્યા છે. રોપ-વે બન્યા બાદ પ્રવાસીઓનો ધસારો પણ વધ્યો છે. દૈનિક 5 હજાર જેટલા પ્રવાસીઓ રોપ-વે દ્વારા મા અબાના દર્શનનો લાભ લઈ રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે.

ઉંચો ગઢ ગિરનાર કે જે વાદળો સાથે વાત કરતો હોય તેવા કુદરતી નજારો હાલ ગીરનાર પર નજરે પડી રહ્યા છે. ખાસ કરી ગુરુદત્ત શિખર કે જે વાદળોથી ઢંકાય જાય છે અને ફરી વાદળો વચ્ચેથી જ્યારે એ શિખરો દેખાય છે ત્યારે આ અદભુત નજારો નિહાળવા લાયક હોય છે. હાલ ચોમાસાની ઋતુમાં લોકો દૂર દૂરથી ગીરનાર પર ઉમટી પડ્યા છે. ગીરનારની પર્વત માળાઓ ઉપર જાણે લીલી ચાદર પાથરી હોય અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા કુદરતી દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

જૂનાગઢ અને ગીરનાર પર કુદરત જાણે મહેરબાન હોય તેવું લાગી રહ્યું છે અને હજુ પણ ઘણા લોકો રોપ-વે હોવા છતાં પગથિયાં ચડીને કુદરતી નજારાનો આનંદ માણતા માણતા ગીરનાર ચડી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત