Homeગુર્જર નગરીજૂનાગઢઃ ગાડા સહિત ખેડૂત નદીમાં તણાતા ખેડૂત અને બે બળદના મોત

જૂનાગઢઃ ગાડા સહિત ખેડૂત નદીમાં તણાતા ખેડૂત અને બે બળદના મોત

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના માળિયા તાલુકાના જુથળ ગામે ખેતરેથી પરત ફરી રહેલા ખેડૂત ગાડા સહિત નદીના પ્રવાહમાં ખાબકતાં ખેડૂત અને બન્ને બળદના મોત થયા છે. ખેડૂત અને બળદના મોત થતાં જુથળ ગામમાં શોક વ્યાપી ગયો છે. માળીયા હાટીનાના જુથળ ગામે વોંકળામાં બળદ ગાડું ખાબક્યું હતું. આ ઘટનામાં એક ખેડુત અને બે બળદના મોત નિપજ્યા છે. વાડી વિસ્તારમાં પુલની સાઇડની કિનારીઓ તૂટી ગઈ હોય આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી પ્રમાણે જુથળ ગામના ખેડૂત કડવાભાઈ ભાદરકા પોતાના ખેતરેથી બળદ ગાડું લઈને ગામ તરફ આવી રહ્યા હતા. આ સમયે અતિશય વરસાદના કારણે નદીની અંદર પાણીનો ભારે પ્રવાહ વહી રહ્યો હતો. તેથી બળદનો પગ કિનારા પર આવી જતા લપસી ગયો હતો અને આખું બળદ ગાડું નદીના પાણીના પ્રવાહમાં તણાયું હતું. આ ઘટનાથી જુથળ ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ત્યારે ગામ લોકોએ મામલતદારને આ પુલ તાત્કાલિક રીપેર કરવા માટે અને ઊંચો બનાવવા માટે ઘણા સમયથી માંગ કરી રહ્યા છે પરંતુ પ્રશાસન તરફથી પુલને ગંભીરતાથી ન લેતા આ દુર્ઘટના ઘટી છે.

junagadh farmer death

હાલ તો ખેડૂત કડવાભાઈના મૃતદેહની માળીયાહાટીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જઈ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો હતો. ભારે વરસાદના કારણે રાહદારીઓને રસ્તો પસાર કરવો મુશ્કેલ બન્યું છે. બીજી તરફ ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતો માટે ખેતરેથી આવ જા કરવું જોખમી બની રહ્યું છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments