Homeગુર્જર નગરીજૂનાગઢ: જેલ પાસે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, માત્ર 80 રૂપિયા માટે 19...

જૂનાગઢ: જેલ પાસે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, માત્ર 80 રૂપિયા માટે 19 વર્ષના લબરમૂછિયાએ ઢીમ ઢાળી દીધું હતું

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ જેલ પાસેથી બે દિવસ પહેલા એક અપરિચિત વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું કે આ વ્યક્તિ ભિક્ષુક હોવો જોઈએ અથવા તો કચરા ઉપાડવાનો વ્યવસાય કરતો હોવો જોઈએ. આ યુવાનના માથાના ભાગે બોથડ પદાર્થનો ઘા ઝીંકી અજાણ્યો અપરાધી ફરાર થઈ ગયો હતો. હવે આ ગુનાહિત કૃત્ય પરથી પડદો હટી ગયો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કામગીરી હાથ ધરતા આરોપીની ધરપકડ કરી છે.

આ હત્યા સંતોષ અશ્વિનભાઈ બુટીયા નામના અને અમદાવાદ જિલ્લાના ધંધુકાના બાજરડા ગામમાં રહેતા 19 વર્ષીય લબરમૂછિયાએ કરી હોવાનું સામે આવ્યું છે. હત્યાને અંજામ આપ્યા બાદ તે લીમડી તરફ નાસી ગયાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જ્યાં પોલીસ કાફલો પહોંચ્યો હતો અને અહીં લીમડી પહેલા પાણીની નહેર નજીકથી આરોપી મોટરસાઈકલમાં સાથે મળી આવ્યો હતો.

શરૂઆતમાં પોલીસે ઢીલાશ વાપરી હતી અને સવાલના જવાબ પૂછ્યા હતાં પણ આરોપી જ્યારે પોલીસથી પણ ચાલાક હોય એમ ફિલ્મી સ્ટાઈલમાં ગોળ ગોળ જવાબ આપી વાતને ઘુમાવી કહી રહ્યો હતો. અંતે પોલીસે લાલ આંખ કરતા લબરમૂછિયા હત્યારાએ બધું ઓકી નાખ્યું હતું. સંતોષે કબૂલ કર્યું હતું કે તેણે રેલ્વે સ્ટેશનની પાસે ભંગાર વીણતા આ શખ્સને એંસી રૂપિયા ઉધાર આપ્યા હતા. બાદમાં ઉઘરાણી કરતા તેણે પરત નહોતા આપ્યા. જેથી તેના માથાના ભાગે પથ્થરના ઘા ઝીંકી તેની હત્યા કરી નાખવામાં આવી હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments