Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે હવે રાજકારણીઓના બેબાક નિવેદનો સામે આવ્યા રાખશે. તમામ પક્ષો તાડામાર તૈયારીમાં લાગી ગયા છે. કોંગ્રેસને વર્ષો જૂના સત્તાના દુષ્કાળને નાથવો છે, આમ આદમી પાર્ટીને સત્તા પરિવર્તન કરવું છે અને ભાજપ જીતશે જ તેવું ભાજપના નેતાઓ કહી રહ્યા છે.
એવામાં કોંગ્રેસના પૂર્વ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ બુધવારના રોજ દિલ્હીમાં કોંગ્રેસના અસંતુષ્ટ એવા G-23 નેતાઓની મુલાકાત લીધા બાદ કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસમાં નેતૃત્વની કટોકટી પ્રવર્તી રહી છે. એમણે ગઠબંધન તરફ ઈશારો કરતા કહ્યું હતું કે જો અલગ અલગ પક્ષની સાથે મળી લડવામાં આવે તો ભાજપને સત્તામાંથી બે મહિનામાં દૂર કરી શકાય.
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પોતે ભાજપ વિરોધી જૂથમાં જ હશે એમ કહેતા જણાવ્યું હતું કે, દરેક પક્ષોએ અને સંગઠનોએ પોતપોતાની રીતે ગુજરાતમાં લડવાની જરૂર છે. હું કોંગ્રેસમાં હોઇશ કે નહીં તેનાથી કોઇ ફરક પડતો નથી, પરંતુ હું ભાજપ વિરોધી જૂથમાં જ હોઇશ. પરંતુ અહીં તકલીફ એ છે કે ભાજપ પાસે મની અને મસલ પાવર બંન્ને છે તેમ છતાં તેઓ પોતાના કાર્યકર્તાઓને સતત દોડાવે રાખે છે અને બેસવા દેતા નથી. તેને બદલે કોંગ્રેસમાં તો કોઇને ખબર જ નથી શું કરવું.
શંકરસિંહ વાઘેલાએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે હજુ પણ માત્ર બે મહિના યોગ્ય રીતે પ્રયત્ન કરવામાં આવે તો ભાજપ ગુજરાતમાંથી સત્તા બહાર હશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે અહેમદ પટેલ હતા ત્યાં સુધી કોંગ્રેસ ઠીક ચાલી પણ પછી બધું યોગ્ય થયું નહીં. જી-23ના નેતાઓ નારાજ છે અને આ અંગે કાંઇક વિચાર થવો જોઇએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
