Team Chabuk-Gujatat Desk: કોરોનાને કાબુમાં કરવા માટે કોરોના વેક્સિન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને બન્ને ડોઝ લીધાના 9 માસ બાદ પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યો છે. જેમાં જૂનાગઢના શાપુર પીએચસી દ્રારા રોજના 30થી વધુ સિનિયર સિટીઝનોને પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યા છે.
શાપુર પીએચસીના મેડિકલ ઓફિસર ડો.પરમારે જણાવ્યું હતું કે, આ પીએચસી હેઠળ 17 ગામડાઓ આવે છે. આ તમામ ગામના સિનિયર સિટીઝનોને કે જેમને પ્રિકોશન ડોઝ લેવાનો છે. તેમને આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા વેક્સીન આપવામાં આવી રહી છે.
અત્યારે શાપુર પીએચસી ખાતે રોજના 30થી વધુ સિનિયર સિટીઝનોને પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત અમારી આરોગ્યની ટીમ દ્વારા કોરો વોરિયર્સ તરીકે ફરજ બજાવતા પોલીસ જવાનો, શિક્ષકોને પ્રિકોશન ડોઝ આપવા માટેની કામગીરી કરી રહી છે. જેમાં પોલીસ પરેડ ખાતે જઇ પોલીસ જવાનોને પ્રિકોશન ડોઝ આપ્યા હતા તેમજ દરેક શાળાએ જઈ શિક્ષકોને પણ પ્રિકોશન આપવામાં આવ્યો હતો.
વેક્સિન લીધા બાદ 9 માસ પૂર્ણ નથી થયા તેવા તેમજ બિમાર પડેલા કોરોના વોરિયર્સ પ્રિકોશન ડોઝ આપવાના બાકી છે પણ રોજેરોજ શાપુર પીએચસી દ્વારા વેક્સીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે.
શાપુર પીએચસી ખાતે પ્રિકોશન ડોઝ લેવા આવનાર ૭૪વર્ષના મકવાણા પરશોત્તમભાઇએ જણાવ્યું હતું કે, મેં કોરોના વેક્સીનના બન્ને ડોઝ પહેલા લઈ લીધા હતા અને આજે બીજા ડોઝના ૯ મહિના પૂર્ણ થતાં પ્રિકોશન ડોઝ લઇ કોરોનાથી રક્ષિત થઇ છું. કોરોનાની વેક્સીન લીધી હોવાથી કોરોના હજુ સુધી થયો અને હું સંપૂર્ણ સ્વસ્થ છું. લોકોને અપીલ કરૂં છું કે, કોરોનાથી બચવા માટે કોરોના વેક્સીન લઈ લેવી જોઈએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત